
મેટાડોર હડફેટે જૈન સાધ્વીજીને ઇજા : સેવિકાનું નિપજેલું મૃત્યુ
- બંદોબસ્તમાં રહેલા બે પોલીસ કર્મીઓને પણ ઇજાઃ મોરબીમાં ચાતુર્માસ પૂરો કરી કચ્છ જતા હતા ત્યારે અકસ્માત
મોરબીમાં ચોમાસાના ચાર માસનો ચાતુર્માસ પુરો કરીને જૈન સમાજના સાધ્વીજી કચ્છ તરફ જઈ રહ્યા હતા ત્યારે તેઓને માળીયા નજીક માર્ગ અકસ્માત નડયો હતો અને મેટાડોર ચાલકે તેમને હડફેટે લેતા સાધ્વીજીને ઇજાઓ થઇ હોવાથી તેઓને હાલમાં મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે અને વ્હીલચેર ચલાવનારા સેવિકાને બંને ગંભીર ઈજા થઈ હોવાથી તેઓનું ઘટના સ્થળે જ મોત નિપજયું હતું.
મળતી વિગત મુજબ મોરબીના ગ્રીન ચોક પાસે આવેલા ઉપાશ્રય ખાતે ચોમાસાના ચાર મહિના માટે ચાતુર્માસમાં રોકાયેલા જૈન સમાજના સાધ્વી સુનીતાબેન જૈન સાધનાજી ચાતુર્માસ પુરો કરીને આજ સવારના સમયે મોરબી થી કચ્છ તરફ જઈ રહ્યા હતા ત્યારે તેની સાથે પોલીસ પી.સી.આર. લઇને ગીરીરાજસિંહ જાડેજા અને જીઆરડી જવાન કાંતિલાલ તેની સાથે બંદોબસ્તમાં જઈ રહ્યા હતા ત્યારે વિદરકા પાસે મેટાડોર ચાલકે ફિરોજભાઈ હુસેનભાઈ મલેકે પોલીસની ગાડીને હડફેટે લેતા તે નીચે ઉતરી ગઈ હતી ત્યાર બાદ આ મેટાડોર ચાલકે સાધ્વીની વ્હીલ ચેરને હડફેટે લીધી હતી જેમાં સાધ્વીજી ને હાલમાં ગંભીર ઇજાઓ થઇ હોવાથી મોરબીના ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. વ્હીલચેર ચલાવનારા સેવિકાબેન ભારતીબેન કે જે મૂળ ધારીના રહેવાસી છે તેઓને ગંભીર ઇજાઓ થતા ઘટનાસ્થળે મોત નીપજ્યું છે આ અકસ્માત પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2JETZJZ
0 Response to "મેટાડોર હડફેટે જૈન સાધ્વીજીને ઇજા : સેવિકાનું નિપજેલું મૃત્યુ"
Post a Comment