
આગના સપનાં આવતા હોવાથી હોસ્પિટલે જવાનો લાગે છે ડર
- કોઈને લગ્નપ્રસંગમાં જવાથી સંક્રમણનો ભય તો કોઈકને તાવ - શરદીની દવા લેવા જતા બીક લાગે છે : માનસિક માંદગીનો વધતો માહોલ
રાજકોટમાં ઉદયશિવાનંદ હોસ્પિટલને અગ્નિકાંડની ઘટના બાદ ઘણાં દર્દીઓને રાત્રિ દરમિયાન આગના સ્વપ્નાઓ આવે છે. આ આગમાં દર્દી પોતે સપડાઈ ગયા છે. આગનાં ગર્ભિત ભયને લીધે અનેક દર્દીઓ હોસ્પિટલના પગથિયા ચડતા અચકાઈ રહ્યાં છે. આ દર્દીઓ માનસિક ચિકિત્સા માટે મનોવિજ્ઞાાન ભવનના કાઉન્સેલીંગ સેન્ટરનો સંપર્ક કરી માર્ગદર્શન માંગી રહ્યાં હોવાનું આજરોજ જણાવાયું હતું.
રાજકોટ શહેરમાં કોરોનાની બિમારીના વધતા જતા કેસને કારણે અનેકલોકો માનસિક રીતે અસ્વસ્થતા અનુભવી રહ્યાં હોવાનું જણાવી યુનિ.ના મનોવિજ્ઞાાન ભવનના તજજ્ઞાોએ જણાવ્યું હતું કે, દરરોજ ભવનના કાઉન્સેલીંગ સેન્ટરમાં અનેક લોકોના માર્ગદર્શન માટે સતત ફોન રણકતા રહે છે. કોઈ દર્દી પોતાને સ્વપ્નામાં આગની દુર્ઘટના આવતી હોવાનું તો કોઈક લગ્નનો સમય નજીક છે. ત્યારે શરદી અને શ્વાસની તકલીફ શરૂ થતા ટેસ્ટ કરાવ્યો પરંતુ કોરોના નથી. ડોકટર કહે છે કે, માનસિક કારણે આ પ્રકારની તકલીફ થતી હોય છે. ખરેખર આ તકલીફનું નિવારણ શું હોય શકે?
આ પ્રકારના અનેક સવાલો દર્દીઓના મનમાં ઉઠતા હોય છે તેની પાછળના કારણો જણાવી તજજ્ઞાોએ ઉમેર્યું હતું કે, કોરોનાની બિમારી છેલ્લા આઠ મહિનાથી ભયજનક બની રહી હોવાને લીધે તેના કારણે એક પ્રકારનો ચિંતાનો માહોલ સર્જાયો છે. જેના કારણે અનેક લોકો ગર્ભિત ભયની સાતે અનેક પ્રકારની માનસિક મુંઝવણોથી પીડાઈ રહ્યાં છે.
ખરેખર આ સ્થિતિમાં મનની શાંતિ અને સ્વાસ્થ્ય જાળવવું જરૂરી છે. અત્યારે લ્ગની સિઝન ચાલી રહી છે. ત્યારે લગ્નમાં જવાથી કોરોનાના સંક્રમણનો ભોગ નહી બનીએ તેવો સવાલ પણ અનેક લોકોના મનમાં ઉઠતો હોય છે. પરંતુ સોશ્યલ ડીસ્ટન્સ જાળવીને લગ્ન સમારોહમાં જવામાં કોઈ તકલીફ નથી. તે વાત લોકોએ સહજ રીતે સમજી લેવી જોઈએ.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3lYTxUb
0 Response to "આગના સપનાં આવતા હોવાથી હોસ્પિટલે જવાનો લાગે છે ડર"
Post a Comment