
ઓનલાઈન અભ્યાસ યાદ રહેતો ન હોવાથી છાત્રાએ ગળાફાંસો ખાધો
- ધો.12ની છાત્રા અભ્યાસને લઈ ચિંતિત હતી : ઉંઘ પણ પુરી થતી ન હોવાથી પગલું ભરતા સારવારમાં
રાજકોટમાં બે દિવસ અગાઉ ઓનલાઈન અભ્યાસ ફાવતો ન હોવાથી ધો.૧૨ની છાત્રાએ એસીડ પી લીધા બાદ આજે ઓનલાઈન અભ્યાસમાં કઈ યાદ રહેતુ ન હોય અને ઉંઘ પુરી થતી ન હોવાથી ધો.૧૨ની છાત્રાએ ગળાફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કરતા સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી.
પ્રાપ્ત માહિતી મુજબ આજીડેમ ચોકડી નજીક માડાડુંગર પાસે રહેતી કલ્પનાબેન શંભુભાઈ શાહ નામની ૧૭ વર્ષની છાત્રાએ આજે ઘરે ગળાફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કરતા સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી. આજીડેમ પોલીસને જાણ થતા જમાદાર મનહરસિંહે હોસ્પિટલે જઈ જરૂરી કાર્યવાહી કરી હતી.
પોલીસે જણાવ્યું કે, કલ્પના ધો.૧૨માં અભ્યાસ કરે છે પિતા મજુરી કામ કરે છે. માતા પિતા કામ સબબ બહાર ગયા બાદ ઘરે બહેન સાથે એકલી કલ્પનાએ પંખા સાથે દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તેની બહેન જોઈ જતા બુમાબુમ કરતા પાડોશીઓ દોડી આવતા તત્કાળ તેને નીચે ઉતારી ૧૦૮ મારફત સિવિલમાં ખસેડી હતી. કોરોનાના કારણે હાલ સ્કુલો બંધ છે. ત્યારે ઓનલાઈન અભ્યાસ છાત્રાને કરાવાઈ રહ્યો છે.
કલ્પનાને ઓનલાઈન અભ્યાસમાં યાદ રહેતુ ન હોય અને ઉંઘ પણ પુરી થતી ન હોય અભ્યાસની ચિંતામાં આ પગલું ભરી લીધાનું પુત્રોએ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં બે દિવસ અગાઉ ઓનલાઈન અભ્યાસફાવતો ન હોવાથી ધો.૧૨ની છાત્રાએ એસીડ પી લેતા સિવિલમાં ખસેડાઈ હતી. ત્યારે આ બનાવથી વાલી જગતમાં અનેક સવાલો ઉભા થયા છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3nBJbeg
0 Response to "ઓનલાઈન અભ્યાસ યાદ રહેતો ન હોવાથી છાત્રાએ ગળાફાંસો ખાધો"
Post a Comment