
સિંહો રાજપરાથી નારણકા પહોંચ્યા, બળદનું મારણ કરતા ખેડૂતોમાં ફફડાટ
- શિકાર - પાણી અને વીડી મળી જતાં લાંબું અંતર કાપતા નથી
રાજકોટ - કોટડા સાંગાણી, તા. 18 ડિસેમ્બર 2020, શુક્રવાર
રાજકોટ જિલ્લામાં છેલ્લા વીસેક દિવસથી ત્રણ સિંહો વિહાર કરી રહયા છે સરધાર પંથકમાંથી ભાયાસરન વીડીમાંથી આગળ વધીને રાજપરા અને ત્યાંથી બાજુમાં આવેલા નારણકા ગામની સીમમાં પહોંચયા છે. નારણકાની સીમમાં એક ખેડૂતનાં બળદનું મારણ કર્યુ હતુ. વન વિભાગને બળદનાં મારણની જાણ કરવા છતાં ત્રણ કલાક સુધી ન કોઈ ટીમ ન ડોકાતા ખેડૂતો અને ગામ લોકોમાં ભારે રોષ જોવા મળી રહયો છે.
બે નર અને એક માદા સિંહ રાજપરાની સીમમાંથી બે - ત્રણ કિ.મી.ની મુવમેન્ટ કરીને નારણકાની સીમમાં પહોંચ્યા હતા. ગત રાત્રિએ નારણકામાં સરકારી સ્કૂલની સામે આવેલી એક વાડીમાં વીજળીનાં થાંભલા સાથે બે બળદ બાંધ્યા હતા. સિંહોએ રાત્રે આ વાડીમાં ત્રાટકીને બે પૈકી એક બળદને ઢસડીને કપાસનાં ખેતરમાં લઈ જઈને મારણ કર્યુ હતુ. કપાસનાં પાકને ખુંદી તેને પણ નુકશાન પહોંચાડયુ હતુ. ખેતી માટે આ બે બળદ વાડી માલિકનાં આધારસ્તંભ હતા તેમાંથી એક બળદનું મારણ કરતા ખેડૂતને મોટું નુકશાન થયું હતુ. વાડી માલીકનો પૂત્ર વહેલી સવારે વાડીએ આવ્યો ત્યારે બેમાંથી એક શિંગ વાળો બળદ જોવા ન મળતા કપાસના ખેતરમાં વાસ આવતા ત્યાં જઈને જોયુ તો તે સ્તબ્ધ થઈ ગયો હતો. સાવજોએ બળદને ફાડી ખાધો હતો. તરત જ તેણે ગામ લોકોને જાણ કરી હતી. વન વિભાગને જાણ કર્યા બાદ લગભગ ત્રણ કલાક સુધી કોઈ ન ડોકાતા ગામ લોકોમાં ભારે રોષ જોવા મળી રહયો છે. નારણકાનાં લોકોમાં સિંહોને લઈને ભારે ફફડાટ જોવા મળી રહયો છે.
રાજકોટ જિલ્લા વન વિભાગ સિંહોને મુવમેન્ટ પર ટીમો મારફત નજર રાખી રહયુ છે પરંતુ સિંહો હવે ખાનગી માલિકીની વાડીઓમાં ઘુસી મારણ કરવાનું શરુ કરતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહયો છે. જિલ્લાનાં વન વિભાગનાં અધિકારીઓ કહે છે સિંહોને પાંજરે પકડી શકાતા નથી હાલ તેના પર માત્ર વોચ રાખવામાં આવી રહી છે છેલ્લા કેટલાક દિવસોની તેની મુવમેન્ટ પરથી એવુ આકલન કરવામાં આવી રહયુ છે કે ભાયાસર , રાજપરા અને નારણકા પંથકમાં સિંહોને શિકાર અને પાણી મળી રહયા છે અને વીડી વિસ્તાર મળી જતાં લાંબુ અંતર કાપતા નથી. ત્રણ - ચાર કિ.મી.આગળ વધીને પડાવ નાખે છે.
ગ્રામીણ લોકોમાં ભયનો માહોલ
ધાવા(ગીર)માં ત્રણ સિંહોનું પરિભ્રમણ : બે પશુનાં મારણ
માનવી પર સિંહો હુમલો કરે એની રાહ જોતું હોય એમ વનતંત્રનું મૌન
તાલાલા તાલુકાના ઘાવા ગીર અને માધુપુર ગીર ગામમાં જંગલી જાનવરો દરરોજ રાત્રે આવી મારણ કરવાના બનાવો બની રહ્યા છે. રખડતા ભટકતા પશુઓની જેમ સિંહો ગામમાં આંટા ફેરા કરવા લાગ્યા છે, છતાં પણ જંગલ ખાતા તરફથી આ વિસ્તારમાં પેટ્રોલિંગ સહિતની કોઈ પણ પરિણામલક્ષી કાર્યવાહી કરવામાં આવી નથી. જેથી જંગલ ખાતાના નિંદ્રાધીન અધિકારીઓ સામે ભારે રોષ ફેલાયો છે. સિંહો હવે કોઈ માનવી પર હુમલો કરે તેની વનતંત્ર રાહ જોઈ રહ્યું છે ? તેવો લોકોમાં સવાલ ઊઠયો છે.
ધુતરાષ્ટ્ર બની ગયેલ જંગલ ખાતા સમક્ષ સો મણનો લોક સવાલ...
તાલાલા તાલુકાના ધાવા ગીર અને માધુપુર ગીર ગામમાં કુતરાની જેમ જંગલી જાનવરો આખી રાત આંટા ફેરા કરે છે છતાં જંગલખાતું ધુતરાષ્ટ્ર બની ગયું છે શું...? સાથે લોકો જંગલખાતા સામે ભારે રોષ વ્યક્ત કરી રહ્યા છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3r9hxHV
0 Response to "સિંહો રાજપરાથી નારણકા પહોંચ્યા, બળદનું મારણ કરતા ખેડૂતોમાં ફફડાટ"
Post a Comment