
ડોક્ટરોની આજે હડતાળ, ઓ.પી.ડી સાંજ સુધી બંધ
રાજકોટ, તા.11 ડિસેમ્બર 2020,ગુરુવાર
આયુર્વેદ ભણનારા તબીબોને અમુક સર્જરીની છૂટ આપવાના કેન્દ્ર સરકારના નિર્ણયને ઈન્ડીયન મેડીકલ એસોસીએશને ખીચડીપથી ગણાવીને બે ચિકિત્સા પધ્ધતિના ભિન્ન ભિન્ન લાભાલાભ છે ત્યારે તેનું મિશ્રણ કરવા સામે વિરોધ પ્રદર્શિત કરવા આવતીકાલે દેશના તબીબો સાથે સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના તબીબો સવારે ૬થી સાંજે ૬ વાગ્યે ઓ.પી.ડી.(આઉટ પેશન્ટ ડિપાર્ટમેન્ટ) અને અગાઉથી નક્કી કરાયેલા ઓપરેશન નહીં કરીને હડતાળ પાડશે.
રાજકોટ ઈન્ડીયન મેડીકલ એસો.ના પ્રમુખ ડો.જય ધીરવાણીએ જણાવ્યું કે અમે કોઈ ચિકિત્સાપધ્ધતિનો વિરોધ કરતા નથી પરંતુ, બેને મિક્સ કરવાથી સર્જાતા જોખમ સામે ધ્યાન દોરવા હડતાળનું એલાન અપાયું છે જે અન્વયે શહેરના ૧૮૦૦ તબીબો, હોસ્પિટલો આવતીકાલે ઓ.પી.ડી.સાંજે છ વાગ્યા સુધી બંધ રહેશે. ઉપરાંત કોઈ ડોક્ટરો ઈમરજન્સી સિવાયના કોઈ ઓપરેશન કે સારવાર-નિદાન નહીં કરે.
ઉલ્લેખનીય છે કે બી.એ.એમ.એસ. આયુર્વેદમાં એમ.એસ.થયેલા આયુર્વેદિક તબીબોએ કેન્દ્ર સરકારના નિર્ણયને આવકાર્યો છે અને આયુર્વેદમાં ઈ.સ.૧૯૭૯થી જ સર્જરીના વિષયો ભણાવવામાં આવે છે અને પ્રાચીન કાળથી જ આયુર્વેદ સર્જરી કે શલ્ય ચિકિત્સા સાથે જોડાયેલ જ છે તેમ કહીને વિરોધ સાથે સહમતિ દાખવી નથી.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2W6oyuw
0 Response to "ડોક્ટરોની આજે હડતાળ, ઓ.પી.ડી સાંજ સુધી બંધ"
Post a Comment