અમદાવાદમાં વધુ 289 લોકો કોરોનામાં પટકાયા, 9 દર્દીનાં મૃત્યુ

અમદાવાદમાં વધુ 289 લોકો કોરોનામાં પટકાયા, 9 દર્દીનાં મૃત્યુ


અમદાવાદ, તા. 7 ડિસેમ્બર, 2020, સોમવાર

અમદાવાદમાં દિવાળીના તહેવારો બાદ માથું ઉંચકનાર કોરોનાનો વાયરસ થોડો ધીમો પડયો છે. નવા નોંધાતા કેસોમાં આંશિક ઘટાડો થતાં 300ની અંદર ગયા છે. જો કે લોકોમા ંફેલાયેલી  ગભરાટની લાગણી યથાવત છે.

દરમ્યાનમાં આજે એક જ દિવસમાં સરકારી યાદી અનુસાર વધુ 289 કેસો નોંધાયા છે. જ્યારે સારવાર લઈ રહેલાં દર્દીઓમાંથી નવના કરૂણ મૃત્યુ થયા છે. તેમજ ક ોરોનાને હરાવીને સાજા થઈ ગયેલાં 285 લોકોને ડિસ્ચાર્જ કરાયા છે.

મ્યુનિ.ની હદમાં અત્યાર સુધીમાં નોંધાયેલાં કુલ દર્દીઓનો આંકડો 53726ને આંબી ગયો છે. જેમાંથી 2075 દર્દીઓએ સારવાર દરમ્યાન તેમની મહામુલી જીંદગી ગુમાવી છે. જ્યારે 43987 લોકો સાજા થઈ ગયા છે. દરમ્યાનમાં એક્ટિવ કેસોનો આંકડો ઘટીને 2577 થઈ ગયો છે. જે અગાઉ 3400ની ઉપર પહોંચી ગયો હતો.

પશ્ચિમ ઝોન, ઉત્તરપશ્ચિમ ઝોન, દક્ષિણપશ્ચિમ ઝોનમાં 1314 અને પૂર્વકાંઠાના મધ્યજોન, પૂર્વઝોન, દક્ષિણઝોનમાં 1266 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે. જો કે ઘેરબેઠાં સારવાર લઈ રહેલાં લક્ષણો વગરના કે હળવાં લક્ષણોવાળા દર્દીઓ બહુ જ મોટી સંખ્યામાં હોવાનું જાણવા મળે છે. રેપિડટેસ્ટમાં પોઝિટિવ આવનારા હજારો દર્દીઓનો સરકારી યાદીમાં સમાવેશ નહીં થતો હોવાનું જણાય છે.

જ્યારે ખાનગી હોસ્પિટલોના પ્રાઈવેટ 3356  બેડમાંથી 2317 ભરાયેલાં છે. કોવિડ કેર સેન્ટરોમાં 42 છે. એટલે 2359 દર્દીઓ તો આ જ થઈ જાય છે. જો કે રાહતની બાબત એ છે કે હોસ્પિટલોમાં 1039 બેડ એટલે કે 30.95 ટકા ખાલી છે. જો કે અગાઉ 43 ટકા બેડ ખાલી રહેતાં હતાં. ઉપરાંત 372 આઈસીયુના બેડમાં દર્દીઓ છે.

122 બેડ ખાલી છે. જ્યારે વેન્ટીલેટર ઉપર 191 દર્દીઓ છે, 46 વેન્ટીલેટર ખાલી છે.  જો કે સરકારી યાદીમાં આખાય  રાજ્યમાં 81 દર્દીઓ વેન્ટીલેટર ઉપર હોવાનું જણાવાયું છે. જો કે એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે તહેવારો ઉપર દર્દીઓની સંખ્યામાં નાંધાતા વધારાની અસર પાછળ ત્રણેક અઠવાડિયા સુધી રહેતી હોય છે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3lSTVTZ

0 Response to "અમદાવાદમાં વધુ 289 લોકો કોરોનામાં પટકાયા, 9 દર્દીનાં મૃત્યુ"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel