દિવાળીના તહેવારો કચ્છના એસટી તંત્રને ફળ્યા : ૧૮ લાખની આવક

દિવાળીના તહેવારો કચ્છના એસટી તંત્રને ફળ્યા : ૧૮ લાખની આવક

ભુજ,રવિવાર

કોરોના મહામારીના કારણે ગત માર્ચાથી સર્જાયેલી લોકડાઉન થકી ખોટ કરી રહેલા એસ.ટી. વિભાગમાં દિપોત્સવીના તહેવારો દરમિયાન પ્રાણ ફુંકાયા હોય એમ છેલ્લા એક પખવાડીયા જેટલા સમયગાળા દરમિયાન સાત હજારાથી વધુ પ્રવાસી ઉમટતા એસ.ટી. તંત્રને રૃા.૧૮ લાખ જેટલી આવક થવા પામી છે.

કોરોનાના કહેરથી કંટાળેલા લોકોમાં પ્રકાશના પર્વ દરમિયાન ઉત્સાહનો સંચાર થયો

વૈશ્વિક મહામારીના કારણે લોકડાઉનના અંદાજીત ૪પ દિવસ બાદ અનલોકમાં છુટછાટ છતાં ધાર્મિક, સામાજીક તહેવારો મેળા સહિતના નાના-મોટા કાર્યક્રમો રદ્દ કરાતા ઘરમાં બેસીને લોકો કંટાળી ગયા હતા. કંટાળેલા લોકોમાં દિપોત્સવીનો તહેવાર આવતા જ ઉત્સાહનો સંચાર થયો હતો અને લોકોએ આ મહામારીને ભુલીને પ્રકાશનો આ પર્વ મનાવ્યો હતો અને મોટી સંખ્યામાં ધાર્મિક અને પ્રવાસન સૃથળોએ ફરવા માટે ઉમટી પડયા હતા. આ પ્રવાસીઓની સુવિાધા માટે જિલ્લાના એસ.ટી. તંત્ર દ્વારા કચ્છ ઉપરાંત જિલ્લામાં વસતા પરપ્રાંતીય ખેત મજુરો માટે આંતર જિલ્લામાં વિશેષ બસો દોડાવી હતી જેના થકી કોરોના કાળમાં ખોટ ખાતા એસટી તંત્રને રાહત મળી હતી. અત્રે ઉલ્લેખનિય છે જિલ્લામાં તહેવારોના દિવસો દરમિયાન જરૃરીયાત મુજબ ટ્રાફિકવાળા રૃટો પર વિશેષ બસો પણ દોડાવી હતી. આ બાતે એસ.ટી.ના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબક મહાપર્વના તહેવારોને અનુલક્ષીને પ્રવાસીઓની સુવિાધા માટે તંત્ર દ્વારા ૧૬૮ જેટલી વિશેષ સ્પેશિયલ ટ્રીપ દોડાવી હતી. જેમાં સાત હજારાથી વધુ મુસાફરોએ એસ.ટી. સેવાનો લાભ લેતા તંત્રને રૃા.૧૭,૮૩,૦૭ર આવક થઈ હતી.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3958eC2

0 Response to "દિવાળીના તહેવારો કચ્છના એસટી તંત્રને ફળ્યા : ૧૮ લાખની આવક"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel