
ગાંધીધામમાં કોરોનાનો વિસ્ફોટ : ૧૦ કેસો નોંધાયા, ભુજમાં પણ આઠ કેસ
ભુજ,રવિવાર
કચ્છમાં કોરોનાના કેસોએ રફતાર ૫કડી હોય તેમ આજે પણ નવા ૩૧ પોઝીટીવ કેસો નોંધાયા હતા. શહેરી વિસ્તારમાં ૨૦ અને ગ્રામિણ વિસ્તારમાં ૧૧ કેસો નોંધાયા છે. સૌથી વધુ ગાંધીધામ શહેરમાં ૧૦ કેસો નોંધાયા જયારે છેવાડાના અબડાસા અને લખપતમાં એક પણ કોરોનાનો કેસોએ દેખા દીધી નાથી.
અંજાર શહેરમાં ૧, ભચાઉ શહેરમાં ૧, ભુજ શહેરમાં ૮ અને ગ્રામિણ વિસ્તારમાં ૩, ગાંધીધામ શહેરમાં ૧૦ અને ગ્રામિણમાં ૧, માંડવી-મુંદરા તાલુકામાં ૧-૧, નખત્રાણા તાલુકામાં ૪ તેમજ રાપર તાલુકામાં કોરોનાનો એક કેસ નોંધાયો છે. દરમિયાન, એકટીવ પોઝીટીવ કેસોની સંખ્યા ૨૨૨ પહોંચી છે. તો આજે ૩૧ કેસો સાથે કુલ પોઝીટીવ કેસોનો આંક ૩૧૧૨ થયો છે. જયારે સાજા થયેલા ૨૧ દર્દીઓને હોસ્પીટલમાંથી રજા મળી હતી. રાજયના મહાનગરોમાં કોરોનાના કારણે રાત્રિ કર્ફયુ કરવાની ફરજ પડી છે પરિણામે કચ્છમાં પણ કેસો વાધતા લોકોએ ચિંતા દાખવવાની સાથોસાથ સતર્કતા રાખવી જરૃરી છે.
કચ્છમાં પણ રાત્રિ કર્ફયુ થાય તો નવાઈ નહિ
ભુજ : ઠંડીનો કહેર વાધવાની સાથોસાથ તેમજ દિવાળીના તહેવારોની ભીડની અસરના પગલે દેશમાં કોરોનાના કેસોનો રાફડો ફાટયો છે. ગુજરાતમાં પણ એક જ દિવસમાં ૧૫૦૦થી વધુ કેસો નોંધાઈ રહ્યા હોવાથી મહાનગરોમાં કફર્યુ લાદવાની ફરજ પડી છે તેવામાં કચ્છમાં પણ કોરોનાના કેસો વાધી રહ્યા છે. તેમ છતા લોકો દ્વારા નિયમો પાળવામાં આવતા નાથી. જો આમને આમ લોકો નિયમો પાળવામાં બેદરકાર રહેશે તો કચ્છમાં પણ રાત્રિ કફર્યુ લાદવામાં આવે તો નવાઈ નહિં. ગુજરાતના મહાનગરોની સિૃથતી જોયા બાદ પણ જિલ્લાના પાટનગર ભુજ તેમજ અન્ય શહેરોમાં લોકો સાંજના ભાગે કારણ વિના બહાર નિકળે છે. રાત્રિ ટુનોમેન્ટના આયોજનો થઈ રહ્યા છે. તેમજ દિવસના ભાગે પણ ટોળે વળતા લોકો નજરે પડે છે. એટલુ જ નહિં, શહેરના બાગ બગીચાઓ, મંદીર તેમજ હમીરસર તળાવની આસપાસ નાસ્તાની કેબીનો પર ભીડ અને બસ સ્ટેશન વિસ્તારમાં પણ નાસ્તાની દુકાનો પર નિયમો જળવાતા ન હોવાથી આ તમામ સિૃથતી કચ્છમાં પણ રાત્રિ કફર્યુ કરાવે તો નવાઈ નહિ. બીજીતરફ, રાત્રિના ભાગે પોલીસે પેટ્રોલીંગ વાધારવા જેવુ છે જેાથી કરીને કારણ વિના લોકો ઘરની બહાર નિકળતા ડરે. અન્યાથા યુવાનો ઘરની બહાર રખડતા અટકશે નહિં. તો બીજીતરફ, કચ્છમાં પણ રાત્રિ કફર્યુ થશે એવી અફવા ફેલાવાઈ રહી છે પરિણામે ખાસ તો વ્યસનીઓ ગુટખા અને બીડીનો જથૃથો સંગ્રહ કરવામાં લાગી ગયા છે. તો વળી, કેટલાક લોકો રાશન પાણીની વ્યવસૃથા કરવા લાગ્યા છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2UQvVWt
0 Response to "ગાંધીધામમાં કોરોનાનો વિસ્ફોટ : ૧૦ કેસો નોંધાયા, ભુજમાં પણ આઠ કેસ"
Post a Comment