કોરોનાના કારણે પ્રવાસીઓની સંખ્યા ઘટતા સ્થાનિકોની આજીવીકાને ફટકો

કોરોનાના કારણે પ્રવાસીઓની સંખ્યા ઘટતા સ્થાનિકોની આજીવીકાને ફટકો

ભુજ,રવિવાર

દિવાળીના તહેવારોના દિવસોમાં જ કચ્છમાં જિલ્લા બહારના પ્રવાસીઓનો રાફડો ફાટતો હોય છે. નવેમ્બર માસમાં ભીરંડીયારાના ચા ના ધંધાર્થીથી માંડીને હસ્તકલાના કારીગરો તેમજ ભુજ સહિત કચ્છમાં વિવિાધ સૃથળોએ ધંધો રોજગાર ચલાવતા હોટલ રેસ્ટોરેન્ટના માલિકોને કમાણી કરવાના દિવસો હોય છે પરંતુ વર્તમાન સમયમાં એક તરફ સફેદ રણમાં ભરાયેલા પાણી અને બીજી તરફ કોરોનાની બીજી લહેરના કારણે સૃથાનિક પ્રવાસીઓની આજીવીકા છીનવા ઈ ગઈ છ. ઠંડીના પ્રારંભે સફેદ રણમાં કચ્છી સંગીતનો જલસો જામતો હોય છે પરંતુ સફેદ રણમાં પાણી ભરાયેલા હોવાથી રણ વચાળે જામતી મહેફિલ પણ હાલ તો ભુલાઈ ગઈ છે. 

છેલ્લા સાત આઠ વર્ષાથી સફેદ રણનો નજારો માણવા આવતા પ્રવાસીઓની સંખ્યામાં દર વર્ષે આૃધાધ વાધારો થતો હોવાથી છેલ્લા પાંચેક વર્ષાથી સફેદ રણમાં સફેદ રણમાં અનેક નવા આકર્ષણો ઉમેરાયા હતા. જેમાં  રણવચાળે સૃથાનીક કલાકારો દ્વારા પીરસાતું સંગીત ,કેમલ સફારી તાથા ફોટોગ્રાફી માટે વિવીધ ચીજો ભાડે આપવાનું શરૃ થયુ હતુ. સાંજના ભાગે સફેદ રણમાં કચ્છી સંગીતનો જલ્સો જામતો હોય છે. કચ્છીવાધોના સુરો તાથા લોકકલાકારો દ્વારા પીરસાતી સીંધી કાફીઓ તાથા સંગીતના સુરો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. પરંતુ, આ વર્ષે પણ પાછોતરા વરસાદના કારણે સફેદ રણમાં ભરાયેલા પાણી હજુ સુકાયા નાથી એટલે સફેદ રણ જોવા જતા પ્રવાસીઓને દરિયો જોઈને સંતોષ માનવો પડી રહ્યો છે.

તો બીજીતરફ, કોરોનાની બીજી લહેર શરૃ થતા કચ્છ આવતા પ્રવાસીઓ બિલકુલ બંધ થઈ ગયા છે. આ દિવસોમાં ભુજ, માંડવી, માંડવી, માતાના મઢ કે અન્યત્ર પણ હાઈવે પરની હોટલોમાં વેઈટીંગ લીસ્ટ હોય છે તેમજ ધોરડો, ખાવડા વિસ્તારમાં બનાવાયેલ હોમ સ્ટેમાં પણ હાઉસફુલના પાટીયા હોય છે પરંતુ આ વખતે કોરોનાને લીધે તમામ નાના મોટા ધંધાર્થીઓને આજીવીકાનો મોટો પ્રશ્ર ઉભો થયો છે.

રવિવારના દિવસોમાં સૃથાનિક લોકોની પણ સફેદ રણ જોવા માટે ભીડ ઉમટતી હોય છે પરિણામે ભીરંડીયારાના ચા ના ધંધાર્થીઓાથી માંડીને માવા તેમજ હેન્ડીક્રાફટની ચીજ વસ્તુઓનું વેંચાણ કરતા તમામ  ધંધાર્થીઓને આવક થતી હોય છે પરંતુ આ વખતે પ્રવાસીઓની નહિંવત હાજરી છે પરિણામે તમામ નાના મોટા ધંધાર્થીઓ નવરા પડી ગયા છે. ટેકસીવાળાઓ પણ બેરોજગાર થઈ ગયા છે. તો સફેદ રણ માણવા આવતા પ્રવાસીઓને હાલે માત્ર કાળા ડુંગરના દર્શન કરીને પરત ફરવુ પડે છે. 

કચ્છમાં પ્રવાસીઓનો ઘોડાપુર ઉમટતો તે હવે ભુતકાળ બની ગયો છે. તેમાં પણ કોરોનાની બીજી લહેર ચાલશે તો આ સીઝન ફેલ જશે. એટલુ જ નહિં, સફેદ રણમાં મનોરંજન પીરસતા ધંધાર્થીઓને પણ મસમોટી આવક ગુમાવવી પડશે.

કેવડીયા કોલોનીના નિર્માણ બાદ કચ્છ આવતા પ્રવાસીઓમાં ઘટાડો

સફેદ રણમાં પાણી ભરાયેલા હોવાથી પ્રવાસીઓ આવતા બંધ થયા છે. પ્રવાસન વિભાગનો પ્રચાર પ્રસારનો અભાવ પણ આ માટે જવાબદાર છે તો બીજી તરફ કેવડીયા કોલોનીના નિર્માણ બાદ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા જનારા વર્ગમાં વાધારો થતા કચ્છ આવતા પ્રવાસીઓની સંખ્યામાં સીધો ઘટાડો નોંધાયો છે. આ બાબતે સૃથાનિક વહીવટી તંત્રની પણ નિરસતા જોવા મળે છે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3nR6Ozt

0 Response to "કોરોનાના કારણે પ્રવાસીઓની સંખ્યા ઘટતા સ્થાનિકોની આજીવીકાને ફટકો"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel