દિવાળીનું પર્વ આવી ગયું છતા નલિયાની બજારો સુમસામ, વેપારીઓમાં નિરાશા

દિવાળીનું પર્વ આવી ગયું છતા નલિયાની બજારો સુમસામ, વેપારીઓમાં નિરાશા

નલિયા, તા.૭

કચ્છના છેવાડાના વિસ્તાર અબડાસાના તાલુકા માથક નલિયામાં પણ મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. દિવાળીનું પર્વ આવી ગયું હોવાછતાં બજારો સુમસામ ભાસી રહી છે. સાંજના સમયે થોડા-ઘણા લોકો બજારમાં હોય છે. આ સિવાય વેપારીઓ આખો દિવસ દુકાનો ખુલી રાખીને ગ્રાહકોની રાહ જોતા રહે છે.

નલિયામાં તાલુકાના વિવિાધ ગામોમાંથી લોકો ખરીદી કરવા માટે આવે છે. તેમાંય દિવાળી જેવા તહેવારોમાં તો બજારોમાં ભારે ગીરદી રહેતી હોય છે. ખાસ કરીને કપડા, બુટ-ચપ્પલ, ઘર સજાવટની વસ્તુઓ, સાજ-શણગારની વસ્તુઓ, ઘરવખરી વગેરે દુકાનોમાં આખો દિવસ ગ્રાહકો આવતા હોય છે. પરંતુ આ વખતે લગભગ બાધા જ વેપારીઓ સાવ નવરા ધૂપ બનેઠા છે. સુમસામ બજારોને લઈને વેપારીઓમાં ચિંતાનું મોજુ જોવા મળી રહ્યું છે. હવે અંતિમ દિવસોમાં થોડી-ઘણી ઘરાકી જોવા મળે તેવી આશા છે. ખાસ કરીને લોકડાઉનના કારણે ધંધા-રોજગાર છીનવાઈ ગયા છે.  માટે લોકો વાધારાના ખર્ચ કરવાથી બચી રહ્યા છે. બહારના લોકો પોતાના વતનમાં જતા રહ્યા છે. જ્યારે બહાર વસવાટ કરતા ગામના લોકોએ પણ આ વખતે કોરોનાના કારણે વતનમાં આવવાનું ટાળ્યું છે. આવા બાધા કારણોસર બજારની સિૃથતિ કફોડી બની ગઈ છે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3kajdMC

0 Response to "દિવાળીનું પર્વ આવી ગયું છતા નલિયાની બજારો સુમસામ, વેપારીઓમાં નિરાશા"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel