ખેડા જિલ્લામાં દિવાળીની હર્ષોલ્લાસથી ઉજવણી

ખેડા જિલ્લામાં દિવાળીની હર્ષોલ્લાસથી ઉજવણી


નડિયાદ, તા.19 નવેમ્બર 2020, ગુરુવાર

ખેડા જિલ્લામાં દિવાળી પર્ર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.જિલ્લાના વિવિઘ મંદિરોમાં ભાવિકભક્તોએ પૂજન-અર્ચન કરી નવા વર્ષની એકમેકને શુભેચ્છાઓ પાઠવી હતી.જિલ્લાના વડા મથક નડિયાદ શહેરના સંતરામ મંદિર,વડતાલ સ્વામિનારાયણ મંદિર, ફાગવેલ ભાથીજી  મંદિર, મહેમદાવાદના સિધ્ધિ વિનાયક મંદિર,ખેડા મેલડી માતાજીનુ મંદિર, ગળતેશ્વર મહાદેવ જેવા ધાર્મિકતીર્થ સ્થાનો પર નવા વર્ષે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શાનાર્થે ઉમટયા હતા.કોવિડ ૧૯ના સંક્રમણને ધ્યાને રાખી જિલ્લાના મંદિરોમાં પણ સરકારી ગાઇડ લાઇન અનુસાર ભાવિકભક્તોએ દર્શન કરી નવા વર્ષની ભક્તિભાવ ર્પૂર્વંક ઉજવણી કરી હતી.

ખેડા જિલ્લામાં દિવાળી અને બેસતાવર્ષ પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.બેસતાવર્ષના દિવસે જિલ્લાવાસીઓ વિવિધ મંદિરોએ શિશ નમાવી આશીર્વાદ લઇ નવા વર્ષની ઉજવણી કરી હતી.જ્યારે મંદિરો દ્વારા પણ કોરોનાની ગાઇડ લાઇન અનુસરીને દર્શનની વ્યવસ્થા કરવામાં આવી હતી.

આ ઉપરાંત વિવિધ મંદિરોમાં અન્નકૂટના દર્શન રાખવામાં આવ્યા હતા.જે ભાવિકભક્તોએ અન્નકૂટના દર્શન અને આરતીનો લાભ લીધો હતો.જિલ્લાના કેટલાક મંદિરોએ નવા વર્ષ દર્શનની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી.જેમાં દર્શને  આવતા પ્રત્યેક ભાવિક ભક્તોને થર્મલ ગન થી ટેમ્પરેચર ચેક કરીને મંદિર પ્રવેશ આપવામાં આવતો હતો.

ખેડા જિલ્લાના વડા મથક નડિયાદ શહેરના સંતરામ મંદિર,વડતાલ સ્વામિનારાયણ મંદિર,ફાગવેલ ભાથીજી  મંદિર,મહેમદાવાદ  સિધ્ધિ વિનાયક મંદિર,ખેડા મેલડી માતાજી મંદિર,ગળતેશ્વર મહાદેવ જેવા ધાર્મિકતીર્થ સ્થાનો પર નવા વર્ષે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શાનાર્થે ઉમટી પડયા હતા.

જો કે મંદિર પ્રશાસન દ્વારા સરકારી ગાઇડ લાઇનનો પૂર્ણ પણે પાલન કરી ભાવિક ભક્તોને પ્રવેશ આપ્યો હતો.માસ્ક,સેનેટાઇઝર અને થર્મલ ગનથી ટેમ્પરેચરની વ્યવસ્થા કરવામાં આવી હતી.આ ઉપરાંત મંદિર પરિસમાં કોરોના ગાઇડ લાઇન અનુસાર ભાવિક ભક્તોને પ્રવેશ આપવામાં આવ્યો હતો.

વડતાલ મંદિરમાં દીપોત્સવ સાથે અન્નકૂટ મહોત્સવ યોજાયો હતો.વર્તમાન પરીસ્થિતી અનુસાર જ્યા લાખોની માનવ ભીડ ઉમટતી હોય છે ત્યા આજે સીમિત સંખ્યામાં સેવકો-શ્રધ્ધાળુઓ હાજર હતા.સંતો ભક્તો દર્શન વ્યવસ્થામાં સોસ્યલ ડીસ્ટન્સ અને ફેસમાસ્ક સાથે આવ્યા હતા.સવારે ૫:૩૦ કલાકે મંગળા આરતી થઇ ૭:૦૦ કલાકે શણગાર આરતી થઇ હતી અને બપોરે ૧૧:૪૫ કલાકે ગોવર્ઘનપૂજન બાદ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના હસ્તે અન્નકૂટ આરતી કરવામાં આવી હતી.મંદિરમાં છેલ્લા દશ દિવસથી ૨૦ જેટલા બ્રાહ્મણો વિવિધ વાનગીઓ બનાવી રહ્યા હતા.રાત-દિવસના પુરુષાર્થથી ૧૦૮ થી વધુ વાનગીઓ બનીને તૈયાર થઇ હતી અને ભગવાન સન્મુખ ધરાવી હતી.જ્યારે ૧૧,૦૦૦ હજાર કીલો પ્રસાદ તૈયાર કરાયો હતો.

આ પ્રસંગે ચેરમેન દેવપ્રકાશ સ્વામી અને મુનિવલ્લભ સ્વામીના સાંનિધ્યમાં આશીર્વાદ સભા યોજવામાં આવી હતી. જેમાં બ્રહ્મસ્વરૂપ સ્વામીએ નવા વર્ષે જીવનમાં નવો ઉજાસ પથરાય એવા આશીર્વાદ હરીભક્તોને પાઠવ્યા હતા.ચેરમેન સ્વામી,કોઠારી સ્વામી અને આચાર્ય મહારાજે પણ દીપોત્સવની શુભેચ્છા સાથે નૂતનવર્ષના આશીર્વાદ પાઠવ્યા હતા.આ સમગ્ર ઊત્સવની તૈયારી શ્યામવલ્લભ સ્વામી અને માનસ સ્વામી વગેરે સંતોએ કરી હતી.

યાત્રાધામ ફાગવેલ ખાતે વૈશ્વિક મહામારી કોરોનાને કારણે આ વર્ષે મેળાનુ આયોજન બંધ રાખવામાં આવ્યુ હતુ.પરંતુ ભાથીજી મહારાજમાં અતૂટ શ્રધ્ધા અને વિશ્વાસ ધરાવતા દર્શાનાર્થીઓ પ્રતિવર્ષ આવવાની નેમ અને શ્રધ્ધાને કારણે ફાગવેલ દર્શન કરવા માટે આવ્યા હતા.પરંતુ સરકારી ગાઇડલાઇન અનુસાર ફાગવેલ મંદિર ટ્રસ્ટ દ્વારા દર્શાનાર્થીઓને દર્શન કરવા જવા દેવામાં આવ્યા ન હતા.જ્યારે મેળામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે હેતુથી કઠલાલ પોલીસ દ્વારા ચૂસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

કપડવંજ તાલુકાના તોરણા ગામે આવેલ બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિર ખાતે અન્નકુટ ઉત્સવ ઉજવાયો હતો.સરકારી ગાઇડ લાઇનનો અમલ કરીને સોશ્યિલ ડિસ્ટન્સ સાથે ભાવિક ભક્તોએ અન્નકૂટના દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી.તેમજ મંદિરના પટ્ટાગણમાં સુંદર રંગોળી પૂરીને કલાત્મક કારીગરી દર્શાવવામાં આવી હતી.

યાત્રાઘામ ગળતેશ્વર મહાદેવ ખાતે કોરોના મહામારીના કારણે યાત્રિકોની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો હતો.આ અંગે મંદિરના પૂજારી ભરતભાઇ સેવકનો સંપર્ક સાઘતા તેમણે જણાવ્યુ હતુ કે આ વર્ષે મંદિરમાં કોઇ ખાસ ભીડ જોવા મળી ન હતી.પરંતુ નદીમાં મોટી સંખ્યામાં  યાત્રિકો ન્હાવા માટે ઉમટી પડયા હોવાનુ જણાવ્યુ હતુ.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3nJFumn

0 Response to "ખેડા જિલ્લામાં દિવાળીની હર્ષોલ્લાસથી ઉજવણી"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel