સ્ટેનફોર્ડ યુનિ.ના સંશોધન ક્ષેત્રે તૈયાર કરેલ યાદીમાં ભાવનગર યુનિ.ના પ્રોફેસરનો સમાવેશ

સ્ટેનફોર્ડ યુનિ.ના સંશોધન ક્ષેત્રે તૈયાર કરેલ યાદીમાં ભાવનગર યુનિ.ના પ્રોફેસરનો સમાવેશ


- પાંચ હજાર જેટલા વિષમ ચક્રિય સંયોજન સંશ્લેષણ કરી બંધારણ સાબિત કરતા રસાયણ ભવનના પૂર્વ અધ્યક્ષનો ૨૦૧૯ની યાદીમાં ૭૧મા ક્રમે

ભાવનગર, તા. 25 નવેમ્બર 2020, બુધવાર


અમેરિકાની પ્રખ્યાત સ્ટેનફોર્ડ યુનિવર્સિટી દ્વારા સમગ્ર વિશ્વમાં સંશોધન ક્ષેત્રે કાર્ય કરનાર ૨% વૈજ્ઞાાનિકો તેમજ શિક્ષણશાસ્ત્રીઓને ડેટાબેઝ તૈયાર કરી તેમના નામો વર્ષ ૨૦૧૯ માટે તેઓના સાઇટેશનઇન્ડેક્ષના આધારે માટે જાહેર કરવામાં આવેલ છે. આ નામોમાં સમગ્ર ભારતમાંથી સંશોધન ક્ષેત્રે કાર્ય કરતા ૨૩૧૩ લોકોના નામ જાહેર કરવામાં આવેલ છે. આ નામની યાદી પ્રો.નિશીથ દેસાઇ, ભુતપૂર્વ અધ્યક્ષ, રસાયણભવન, મ.કૃ.ભાવનગર યુનિવર્સિટીનો પણ સમાવેશ કરવામાં આવેલ છે.

આ યાદી તૈયાર કરવા માટે સંશોધનની ભાષામાં ખુબ જ કઠીન માપદંડો જેવા કે સ્કોપસ તેમજ ગુગલ સ્કોલર્સના આધારે નક્કી થયેલ વર્ષના અંતે એટલે ૨૦૧૯ના વર્ષ મુજબ એચ-ઇન્ડેક્સ, પ્રથમ-દ્વિતિય લેખકોના સંશોધન પત્ર, કોમ્પોઝીટ સ્કોર, સૌથી ઉત્કૃષ્ટ સંશોધન પત્રનું સાઇટેશન, તેમજ રેન્ક બેઇઝ કોમ્પોઝટ સ્કોર વગેરેનો આધાર લેવામાં આવેલ. આ ડેટાબેઝમાં વખતો વખત સાઇટેશનના આધારે નવા લોકોના સંશોધન ક્ષેત્રે સંકળાયેલા લોકો દ્વારા સતત ઉમેરાશે. ડો.જોનના જણાવ્યા પ્રમાણે જુદા જુદા ૨૨ મુખ્ય વિષયો અને તેના આધારે ૧૭૬ પેટા વિષયો પ્રમાણે વર્ગીકરણ કરીને આખો ડેટાબેઝ તૈયાર કરવામાં આવેલ છે.

સમગ્ર ભારતમાંથી કુલ ૨૩૧૪ શિક્ષણશાસ્ત્રીની આ ડેટાબેઝમાં તેઓના સાઇટેશનના આધારે સમાવેશ કરવામાં આવેલ. સમગ્ર ભારતમાં રસાયણશાસ્ત્રમાં કુલ ૩૬૯ લોકોનો સમાવેશ કરવામાં આવેલ જેમાં પ્રો.દેસાઇનું નામ ૭૧માં ક્રમે દર્શાવેલ છે. આમ આ યાદીમાં પ્રો.નિશીથ દેસાઇનો સમાવેશ કરવામાં આવેલ છે. પ્રો.દેસાઇએ રસાયણભવનમાં ૧૯૯૧માં વ્યાખ્યાતા તરીકે કારકિર્દી શરૂ કરી અને ૨૦૧૯માં તેઓ નિવૃત્ત થયેલ.

આ દરમિયાન તેમના માર્ગદર્શન હેઠળ ૪૪ વિદ્યાર્થીએ પીએચ.ડી. પૂર્ણ કરેલ છે તેમજ તેમને ૧૩૦ જેટલા સંશોધન પત્રો રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સામયિકોમાં પ્રસિધ્ધ કરેલ છે તેમજ તેમના સંશોધન ગુ્રપે ત્રણ પેટન્ટ પણ મેળવેલ છે. (ગુગલ સ્કોલર મુજબ) તેઓનો સાઇટેશન ઇન્ડેક્ષ ૨૫૮૨, એચ ઇન્ડેક્ષ ૨૮ તેમજ આઇ. ઇન્ડેક્ષ ૮૦, તેઓનું સંશોધન ઓર્ગેનીક, મેડીશીનલ તેમજ ગ્રીન કેમિસ્ટ્રી વિષયમાં મુખ્યત્વે રહેલ છે. તેઓ દ્વારા સમગ્ર કારકિર્દી દરમિયાન તેઓએ ૫૦૦૦ જેટલા વિષમ ચક્રીય સંયોજન સંશ્લેષિત કરીને તેમનું બંધારણ સાબિત કરેલ છે. ત્યારે આ સંયોજનની ઉપયોગીતા બેકટેરિયા, ફુગ, ટીબી વિરોધી સંયોજન કેન્સર વગેરે ઉપર ચકાસણી કરેલ છે. હાલમાં તેઓ રસાયણભવનમાં બી.એસ.આર. ફેલોશીપ અન્વયે મેડીસીનલ કેમિસ્ટ્રીમાં સંશોધન કરી રહેલ છે. તેઓના માર્ગદર્શન હેઠળ હાલ ૬ વિદ્યાર્થી પીએચ.ડી. સંશોધન કરી રહેલ છે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3fCswnC

0 Response to "સ્ટેનફોર્ડ યુનિ.ના સંશોધન ક્ષેત્રે તૈયાર કરેલ યાદીમાં ભાવનગર યુનિ.ના પ્રોફેસરનો સમાવેશ"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel