કેન્દ્રની નીતિઓના વિરોધમાં કાલે બેન્ક કર્મચારી,કામદારોની હડતાળ

કેન્દ્રની નીતિઓના વિરોધમાં કાલે બેન્ક કર્મચારી,કામદારોની હડતાળ

- રાજકોટમાં ત્રિકોણબાગે ધરણાં યોજવાનો નિર્ણયઃ  કામદારોની કફોડી હાલત,ઉદ્યોગપતિઓને લાલજાજમ


રાજકોટ, તા.24 નવેમ્બર 2020, મંગળવાર

કેન્દ્ર સરકારે પ્રજા વિરોધી, કામદાર વિરોધી, ખેડૂત વિરોધી નીતિઓ અખત્યાર કરી શ્રમિક વર્ગ પર આક્રમણ કરી રહી છે અને તે સામે હવે સંઘર્ષના મંડાણ કરવાનું નક્કી કર્યાનું જણાવીને આગામી તા.૨૬ નવેમ્બર ગુરુવારે સમગ્ર દેશની સાથે સૌરાષ્ટ્રના કામદાર સંગઠનો અને બેન્ક કર્મચારીઓ હડતાળ પાડીને વિરોધ વ્યક્ત કરશે. 

સૌરાષ્ટ્રના આશરે ૫ હજાર કર્મચારીઓ ગુરુવારે કામકાજથી અલિપ્ત રહેશે. બેન્ક કર્મચારીઓની મુખ્ય માંગણી (૧) બેન્કોના ખાનગીકરણની પેરવી સરકાર બંધ કરે (૨)  જાહેરક્ષેત્રની બેન્કો તથા સહકારી બેન્કોને મજબૂત બનાવવી (૩) જાણી જોઈ લોન નહીં ભરનારા સામે કડક પગલા (૪) ઉદ્યોગપતિઓ પાસે લોનની (એનપીએ)ની કડક વસુલાત (૫) નાના ગ્રાહકોની થાપણો પર વ્યાજદર વધારો (૬) કોન્ટ્રાક્ટ પધ્ધતિ નાબુદી (૭) બેન્કોમાં પૂર્ણ ભરતી  કરવી (૮) નવી પેન્શન યોજના બંધ કરવી અને મોંઘવારી સાથેનું પેન્શન  વગેરે છે તેમ ગુજરાત બેન્ક વર્કર્સ યુનિયનના મહામંત્રી કે.પી.અંતાણીએ જણાવ્યું હતું.

જ્યારે શ્રમિક સંગઠનોની મુખ્ય માંગણી (૧) કર્મચારીઓની નિવૃતિના અન્યાયી પરિપત્રો રદ કરવા (૨) મનરેગાનુંં વેતન વધારી ગ્રામ્ય વિસ્તારમાં ૨૦૦ દિવસ રોજગારી આપો (૩) જાહેર ક્ષેત્રોનું ખાનગીકરણ બંધ કરવું (૪) કામદાર વિરોધી અને ખેડૂત વિરોધી નિયમો રદ કરવા (૫) પરિવાર દીઠ માસિક ૭૫૦૦ની રોકડ સહાય (૬)  જરૂરિયાતમંદોને માથાદીઠ ૧૦ કિલો અનાજ (૭) તમામને પેન્શન,નવી પેન્શન યોજના રદ કરવી વગેરે છે.

હાલની કેન્દ્ર સરકાર  કર્મચારીઓ કે કામદારો માટે જે કાયદા ઘડે છે તે માટે કોઈ પરામર્શ કરતી નથી અને એકતરફી નિર્ણય લઈ કર્મચારીઓ પર પ્રહારો કરતા રહેતા હડતાળનો વિકલ્પ નાછૂટકે અપનાવાયાનું પણ જણાવાયું છે. 

રાજકોટમાં તા.૨૬ના સવારે ૧૧થી ૧ સુધી ત્રિકોણબાગ ખાતે મજુર સંગઠનો દ્વારા સોશ્યલ ડિસ્ટન્સ સહિત નિયમોના પાલન સાથે ધરણાં યોજવાનો નિર્ણય કરાયો છે. સી.પી.આઈ.ના સૂત્રોએ જણાવ્યું કે કેન્દ્ર સરકારના આ નીતીરિતીથી વિદેશી કંપનીઓ, મોટા ઉદ્યોગપતિઓને ફાયદો છે અને ૯૦ ટકા લોકોની હાલત કફોડી થઈ છે. 

સરકારના એકપક્ષી નિર્ણયો,7 વર્ષથી લેબર કોન્ફ.નહીં! 

ઈન્ટરનેશનલ લેબર કોન્ફરન્સમાં કેન્દ્ર સરકાર પણ સામિેલ છે છતાં ઈન્ડીયન લેબર કોન્ફરન્સ આ સરકારે સાત વર્ષથી બોલાવી નથી તેમ કર્મચારી સંગઠનોએ જણાવીને ઉમેર્યું કે આ સરકાર વિદેશી મુડી, ઉદ્યોગપતિઓ માટે કામ કરી લાખો કર્મચારીઓ, કામદારો માટે એકપક્ષીય નિર્ણયો કરે છે. 



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/376BlSR

0 Response to "કેન્દ્રની નીતિઓના વિરોધમાં કાલે બેન્ક કર્મચારી,કામદારોની હડતાળ"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel