જમાલપુર વહોરવાડમાં 15થી વધુ કોરોના કેસ, એકનું મોત

જમાલપુર વહોરવાડમાં 15થી વધુ કોરોના કેસ, એકનું મોત


અમદાવાદ, તા. 24 નવેમ્બર, 2020, મંગળવાર

અમદાવાદ શહેરમાં આ વર્ષે માર્ચ-એપ્રિલ મહિનામાં કોટ વિસ્તારના જમાલપુર વોર્ડમાંથી સૌથી વધુ કોરોના પોઝિટિવ કેસ નોંધાતા હતા.ફરી એક વખત કોટવિસ્તારમાં કોરોના કહેર જોવા મળી રહ્યો છે.જમાલપુર વોર્ડના વહોરવાડમાં 15 થી વધુ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.જયારે એક વૃધ્ધનું સારવાર દરમિયાન મોત થયુ છે.

મળતી માહીતી પ્રમાણે,શહેરના મધ્યઝોનમાં એક સમયે કોરોના માટે હોટ સ્પોટ ગણાતા એવા જમાલપુર વોર્ડમાં ફરી એક વખત સંક્રમણે દેખા દીધી છે.આ વોર્ડમાં આવેલા વહોરવાડમાં 15 થી પણ વધુ કોરોના પોઝિટિવ કેસ નોંધાવાની સાથે એક વૃધ્ધનું આજે મોત થતા સ્થાનિક રહીશોમાં વધી રહેલાં સંક્રમણને લઈને ચિંતા જોવા મળી રહી છે.આ એજ વિસ્તાર છે કે જયાંથી એક સમયે રોજના ચાલીસથી પણ વધુ કેસ નોંધાતા હતા.

એક તરફ દાણાપીઠ વિસ્તારમાં આવેલી મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય કચેરીમાં ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓ કોરોના સંક્રમિત થઈ રહ્યા છે.આ પરિસ્થિતિમાં મ્યુનિ.કચેરીથી નજીકના અંતરે આવેલા જમાલપુર વોર્ડમાં કોરોના સંક્રમણે ફરી દેખા દીધી છે.

કાંકરિયા કાર્નિવલ નહીં યોજાય : મેયર

અમદાવાદ, તા. 24 નવેમ્બર, 2020, મંગળવાર

અમદાવાદમાં કોરોનાના કેસોમાં અસામાન્ય વધારો નોંધાયો હોવાથી ચાલુ વર્ષે ડિસેમ્બરમાં યોજાતા કાંકરિયા કાર્નિવલનો કાર્યક્રમ મોકુફ રાખવામાં આવશે તેવી વિધિવત જાહેરાત આજે મેયરે કરી દીધી છે. હાલના સંજોગો જોતા ભીડ એકત્ર થાય તેવા કોઇપણ કાર્યક્રમથી દૂર રહેવું હિતાવહ હોવાનું તેમણે જણાવ્યું છે.

શહેરના બગીચા હવે સવાર-સાંજ બે કલાક જ ખુલ્લા રહેશે

અમદાવાદ, તા. 24 નવેમ્બર, 2020, મંગળવાર

અમદાવાદ શહેરમાં ફરી એક વખત વધી રહેલાં કોરોના સંક્રમણને ધ્યાનમાં લઈ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના સાત ઝોનમાં આવેલા નાના-મોટા મળી 250 જેટલા બગીચા સવાર અને સાંજે માત્ર બે-બે કલાક માટે ખુલ્લા રાખવા નિર્ણય કરવામાં આવ્યો છે.

મળતી માહીતી પ્રમાણે,અધિક મુખ્ય સચિવ રાજીવ ગુપ્તાની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં શહેરમાં વધી રહેલા કોરોના સંક્રમણને નિયંત્રિત કરવા શહેરના તમામ બગીચાઓમાં જવા માટેનો સમય ટૂંકાવી દેવામાં આવ્યો છે.મ્યુનિ.ના એક સર્વે મુજબ,શહેરમાં હાલ રાત્રિ કરફયૂ અમલમાં છે. 

આ પરિસ્થિતિમાં શહેરના બગીચાઓમાં સવારે કરફયૂનો સમય પુરો થવાના એક કલાક બાદ સવારના સાતથી સાત કલાક સુધી અને સાંજે પાંચથી સાત દરમિયાન લોકો વિવિધ બગીચાઓમાં મોટી સંખ્યામાં ઉમટી પડે છે.સોશિયલ ડિસ્ટન્સ જળવાતુ નથી.લોકો માસ્ક પણ પહેરતા નથી.આ સંજોગોમાં સંક્રમણ ના વધે એ માટે તમામ બગીચા સવારે 7થી 9 અને સાંજે પાંચથી સાત દરમિયાન ખુલ્લા રાખવાનો નિર્ણય કરાયો છે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2HB6rti

0 Response to "જમાલપુર વહોરવાડમાં 15થી વધુ કોરોના કેસ, એકનું મોત"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel