નખત્રાણાના રૈયાણીનગરમાં ધોળા દિવસે રૃપિયા ૧.૭૨ લાખની ચોરી

નખત્રાણાના રૈયાણીનગરમાં ધોળા દિવસે રૃપિયા ૧.૭૨ લાખની ચોરી

ભુજ,શુક્રવાર

ચોરીના વાધતા જતા બનાવો વચ્ચે નખત્રાણાના રૈયાણીનગર વિસ્તારમાં ધોળા દિવસે ઘરફોડ ચોરીનો બનાવ બન્યો હતો. તસ્કરો સોનાના દાગીના સહિત કુલ ૧૭૨૮૦૦નો મુદામાલ ચોરી કરી ગયા હતા. બનાવના પગલે આસપાસના વિસ્તારોમાં લોકોમાં ભય વ્યાપ્યો છે.

નખત્રાણાના રૈયાણીનગરમાં આશુતોષ બંગલામાં રહેતા તેજસ રામાધારી કનોજીયાના ધોળા દિવસે ઘરના તાળા તોડીને કબાટના લોકરમાંથી સોનાની બે ચેન, જુમર જોડી, ત્રણ વીંટી સહિત ૧૭૨૮૦૦ની મુદામાલની ચોરી કરી ગયા હતા. ફરિયાદી તેજસ ખાનગી કંપનીમાં ફરજ બજાવે છે. ફરજ પુર્ણ કરીને પરત આવ્યા ત્યારે ચોરીના બનાવની જાણ થઈ હતી.

તલવાણાના મંદિરમાંથી લક્ષ્મીનારાયણ ભગવાનની ચાંદીની મુર્તિની ચોરી

ચોરીનો અન્ય એક બનાવ માંડવીના તલવાણા ગામે બન્યો હતો જેમાં, મંદિરમાંથી ચાંદીની મુર્તિ તેમજ રોકડ ચોરાઈ હતી. તલવાણાના શ્રીરામનગરમાં લક્ષ્મીનારાયણ મંદિરમાં ગત રાત્રિના ૮.૩૦થી આજે વહેલી સવારના ચાર વાગ્યાના અરસામાં ચોરીનો બનાવ બન્યો હતો. તસ્કરોએ મંદિરમાંથી લક્ષ્મીનારાયણ ભગવાનની ચાંદીની બે નાની મૂર્તિ (કિં.રૃ.૨૫ હજાર અંદાજે) અને દાનપેટીમંથી રોકડા રૃપિયા ૨૦ હજારની ચોરી કરી હતી. પુજારી વસંતભાઈ નાકરાણી(પટેલ) સેવા પુજા માટે પહોંચ્યા ત્યારે તસ્કરીના આ બનાવની જાણ થઈ હતી. વધુ તપાસ માંડવી પોલીસે હાથ ધરી છે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2VcBP4k

0 Response to "નખત્રાણાના રૈયાણીનગરમાં ધોળા દિવસે રૃપિયા ૧.૭૨ લાખની ચોરી"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel