
કોરોનાના કેસમાં વધઘટ જારી કચ્છમાં માત્ર ૧૫ પોઝિટિવ કેસ
ભુજ,શુક્રવાર
એકતરફ કોરોનાના ટેસ્ટમાં વાધારો કરવામાં આવ્યો છે તે જોતા પોઝીટીવ કેસોની સંખ્યા વાધવી જોઈએ તેના બદલે કચ્છમાં કેસો ઘટી રહ્યા છે. આજે શુક્રવારે જિલ્લામાં ૧૫ કેસો કોરોનાના નોંધાયા હતા.અબડાસા ગ્રામ્યમાં ૧, અંજાર શહેરમાં ૪, ગ્રામ્યમાં ૧, ભુજ શહેરમાં ૨ અને ગ્રામ્યમાં ૧, માંડવી શહેરમાં ૩, મુંદરા તાલુકામાં ૨ અને નખત્રાણા તાલુકામાં ૧ કેસો નોંધાયા હતા. એકટીવ પોઝિટીવ કેસોની સંખ્યા આજે ૨૧૨ નોંધાઈ હતી. જયારે કુલ કેસોની સંખ્યા ૩૧૯૦ થઈ છે.૨૨ દર્દીઓ સ્વસૃથ થતા હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી હતી. આમ, આજે પણ શહેરી વિસ્તારમાં કોરોનાના વધુ કેસો નોંધાયા હતા.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3lcBDNi
0 Response to "કોરોનાના કેસમાં વધઘટ જારી કચ્છમાં માત્ર ૧૫ પોઝિટિવ કેસ"
Post a Comment