વડોદરા: પાવાગઢ દર્શન માટે જતા સુરતના યાત્રાળુઓને અકસ્માત નડ્યો, 9ના મોત

વડોદરા: પાવાગઢ દર્શન માટે જતા સુરતના યાત્રાળુઓને અકસ્માત નડ્યો, 9ના મોત


વડોદરા, તા. 18 નવેમ્બર 2020 બુધવાર

વડોદરા શહેર નજીક અમદાવાદ તરફ જતા વાઘોડિયા રોડ પાસે બ્રિજ પર આજે વહેલી સવારે ચાર વાગ્યાના સુમારે એક ટેમ્પો અને ડમ્પર અથડાતા 15 વ્યક્તિને ઈજા થઈ હતી. આ અકસ્મતમાં નવ વ્યક્તિના મોત નિપજ્યા હોવાનું જાણવા મળે છે. જ્યારે ઘવાયેલાઓને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.


વડોદરાના કપુરાઈ ચોકડી થી અમદાવાદ તરફ જવાના રસ્તે બાયપાસ પાસે વાઘોડીયા રોડ બ્રિજ પર એક ટેમ્પોમાં 15થી વધુ વ્યક્તિ બેસીને જતા હતા ત્યારે સામેથી આવી રહેલા ડમ્પર સાથે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેને કારણે ટેમ્પોમાં બેઠેલા મુસાફરો ફસાઈ ગયા હતા.

આ બનાવની જાણ વડોદરા ફાયર બ્રિગેડને થતાં ઘટનાસ્થળે પહોંચી જઈ ફસાયેલા 15 વ્યક્તિને બહાર કાઢી તાત્કાલિક સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.


અકસ્માતના બનાવ ને પગલે વડોદરા શહેરના બાયપાસ પર સતત એક કલાક સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. અકસ્માતના બનાવમાં ટેમ્પોમાં બેસીને 15 વ્યક્તિ પાવાગઢ ખાતે દર્શન કરવા જતા હતા. તેઓ સુરતના રહેવાસી હોવાનું જાણવા મળે છે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3fblV3x

0 Response to "વડોદરા: પાવાગઢ દર્શન માટે જતા સુરતના યાત્રાળુઓને અકસ્માત નડ્યો, 9ના મોત"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel