અમદાવાદ સિવિલ હોસ્પિટલમા કોરોના વિસ્ફોટ, 600થી વધુ કેસ નોંધાયા

અમદાવાદ સિવિલ હોસ્પિટલમા કોરોના વિસ્ફોટ, 600થી વધુ કેસ નોંધાયા


અમદાવાદ, તા. 18 નવેમ્બર 2020 બુધવાર 

અમદાવાદ શહેરમાં કોરોના કેસની સંખ્યામાં અચાનક વધારો થયો છે. ખાસ કરીને ઓક્સિજન પર રહેલા દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. નવા વર્ષનાં દિવસે જ 140 નવા કોરોના દર્દી સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા હતા. 

હાલ સિવિલમાં સારવાર લઇ રહેતા 625 દર્દી પૈકી 474 ઓક્સિજન પર છે. દિવાળીના તહેવારમાં લોકો બેદરકારી અને માસ્ક જેવી સામાન્ય નિયમોનું પણ ઉલ્લંઘન કર્યું હતું. 

શહેરનાં બાપુનગર, લાલદરવાજા, ત્રણ દરવાજા સહિતનાં વિસ્તારોમાં લોકોની ભારે ભીડ જોવા મળી હતી. જેના પગલે હવે કોરોના ટેસ્ટિંગ માટે પણ લોકો મોટા પ્રમાણમાં લાઇનમાં ઉભા રહે છે. આ ટેસ્ટમાં પોઝિટિવ આવનારા સામાન્ય લક્ષણના લોકોને હોમ ક્વોરન્ટાઇન કરાઇ રહ્યા છે. 

જો કે ગંભીર લક્ષણ હોય તેવા લોકોને સીધા જ હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યા છે. લોકો હજી પણ સચેત નહીં રહે તો સ્થિતી વધારે સ્ફોટક થવાનો અંદાજ તંત્ર સેવી રહ્યું છે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/32Wp0zD

0 Response to "અમદાવાદ સિવિલ હોસ્પિટલમા કોરોના વિસ્ફોટ, 600થી વધુ કેસ નોંધાયા"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel