અમદાવાદ: કોરોનાના કહેર વચ્ચે 20 હજારથી વધુ લોકોએ એક જ દિવસમાં કાંકરિયાની લીધી મુલાકાત

અમદાવાદ: કોરોનાના કહેર વચ્ચે 20 હજારથી વધુ લોકોએ એક જ દિવસમાં કાંકરિયાની લીધી મુલાકાત


અમદાવાદ, તા. 18 નવેમ્બર 2020 બુધવાર 

દિવાળી વેકેશનમાં લોકો કોરોનાને ભૂલીને ઘરની બહાર ખરીદી કરવા, ફરવા અને એકબીજાના ઘરે જવા લાગ્યા છે. જેના કારણે કોરોના સંક્રમણનાં આંકડામાં ઘણો ઉછાળો આવ્યો છે. આ દરમિયાન માહિતી મળી રહી છે કે, અમદાવાદનાં કાંકરિયામાં હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. 

રવિવારે પડતર દિવસે 11 હજાર મુલાકાતીઓ જ્યારે 16મી તારીખે નવા વર્ષે એક જ દિવસમાં 20 હજારથી વધુ લોકોએ કાંકરિયા લેકફ્રન્ટની મુલાકાત લીધી હતી.

મહત્વનું છે કે, સામાન્ય દિવસોમાં કાંકરિયાની મુલાકાતે બેથી પાંચ હજાર જેટલા લોકો આવે છે જ્યારે દિવાળીની રજાઓમાં લોકો ઉમટી ઉમટી પડ્યા હતા. કાંકરિયા લેક ફ્રન્ટની નાની રાઈડ્સ ઝૂ લેઝર શો ખુલી ગયા છે. આ દરમિયાન કાંકરિયામાં કોરોનાની ગાઈડલાઈન્સનો ભંગ કરનાર સામે આકરા પગલા ભરવામાં આવી રહ્યા છે. 

કોરોનાના કહેરમાં આ વખતે લોકો અન્ય રાજ્યમાં મુસાફરી કરવાનું ટાળી રહ્યા છે પરંતુ આસપાસની જગ્યાઓમાં જઇને રજાઓ પસાર કરવાનો આનંદ લઇ રહ્યા છે. જેથી ગુજરાતનાં પ્રવાસન સ્થળો પર આ વખતે ભારે ભીડ જોવા મળી છે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/36OpGYG

0 Response to "અમદાવાદ: કોરોનાના કહેર વચ્ચે 20 હજારથી વધુ લોકોએ એક જ દિવસમાં કાંકરિયાની લીધી મુલાકાત"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel