
ભાવનગરમાં કોરોનાના વધુ 19 કેસ નોંધાતા ખળભળાટ
- કોરોનાના ૧પ દર્દી સ્વસ્થ થતા હોસ્પિટલમાંથી રજા અપાઈ : શહેરમાં કોરોનાના ૧૬ અને જિલ્લામાં ૩ કેસ નોંધાયા ઃ પ૯ દર્દી સારવાર હેઠળ
કોરોના વાયરસના કેસ ભાવનગર શહેર અને જિલ્લામાં ગતી પકડી રહ્યા છે તેથી લોકોમાં ખળભળાટ ફેલાયો છે. આજે બુધવારે ભાવનગર શહેર-જિલ્લામાં કોરોનાના કુલ ૧૯ કેસ નોંધાયા છે, જેમાં શહેરમાં ૧૬ અને જિલ્લામાં ૩ કેસનો સમાવેશ થાય છે. કોરોનાના દર્દીઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે, જયારે દર્દીના સંપર્કમાં આવનાર વ્યકિતઓને કોરોન્ટાઈન-હોમ કોરોન્ટાઈન કરવામાં આવેલ છે. કોરોનાના કેસ વધતા લોકોમાં ફફડાટ ફેલાયો છે.
ભાવનગર શહેર-જિલ્લામાં આજે બુધવારે કોરોનાના વધુ ૧૯ કેસ નોંધાયા હતાં. શહેરના જુદા જુદા વિસ્તારમાં કોરોનાના ૧૬ કેસ નોંધાયા હતા, જેમાં ૧૪ પુરૂષ અને ર ીનો સમાવેશ થાય છે, જ્યારે જિલ્લામાં કોરોનાનો ૩ કેસ નોંધાયો છે, જેમાં મહુવા તાલુકાના તરેડ ગામ ખાતે ૧, ઉમરાળા તાલુકાના હડમતીયા ગામ ખાતે ૧ તેમજ તળાજા તાલુકાના ટીમાણાગામ ખાતે ૧ દર્દીનો સમાવેશ થાય છે. કોરોનાના ૧પ સ્વસ્થ થતા તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી, જેમાં મહાપાલિકાના ૧૪ અને તાલુકાના ૧ દર્દીનો સમાવેશ થાય છે. આ તમામ દર્દીઓએ હોસ્પિટલામાંથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમાં રહેવાનુ રહેશે. દર્દીઓને તત્કાલ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જયારે દર્દીના સંપર્કમાં આવનાર વ્યકિતઓને કોરોન્ટાઈન અને હોમ કોરોન્ટાઈન કરવામાં આવ્યા હતાં. દર્દી જે વિસ્તારમાં રહે છે તે વિસ્તારમાં સેનેટાઈઝ, દવા છંટકાવ વગેરે કામગીરી હાથ ધરવામાં આવી હોવાનુ જાણવા મળેલ છે. કોરોનાના કેસ આવ્યા છે તે વિસ્તારમાં માઈક્રો કન્ટેમેન્ટ ઝોન જાહેર કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, ભાવનગર શહેર-જિલ્લામાં કોરોનાના કુલ પ,૧૧૯ કેસ નોંધાયા છે, હાલ હોસ્પિટલમાં પ૯ દર્દી સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ ૪૯૮૪ દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે તેમજ જિલ્લામાં ૬૯ દર્દીઓના મોત નિપજયા છે. કોરોનાના કેસના પગલે લોકોએ માસ્ક, સામાજીક અંતર વગેરે નિયમનુ પાલન કરવુ જરૂરી છે.
બેસતા વર્ષના દિવસે એક પણ કેસ નોંધાયો ન હતો
ગામડાની તુલનામાં શહેરમાં કોરોનાનું સંક્રમણ વધુ, નવેમ્બરમાં ચાર ગણાં કેસ
૨૫ દિવસમાં જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં રોજના સરેરાશ ત્રણથી ઓછા પોઝિટિવ દરદી
નવેમ્બર માસના પ્રથમ પખવાડિયામાં કોરોનાની ગતિ ધીમી પડયા બાદ વિક્રમ સંવતના નવા વર્ષમાં કોરોનાના કેસમાં ઉઠાળો આવવા માંડયો છે. ત્યારે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં નવેમ્બર માસના ૨૫ દિવસમાં કોરોના કંટ્રોલમાં રહ્યો છે. ગામડાઓની તુલનામાં શહેરમાં પોઝિટિવ દરદીઓની સંખ્યા ચાર ગણી વધું નોંધાઈ છે.
૨૫મી નવેમ્બર સુધીમાં ભાવનગર જિલ્લામાં કોરોના પોઝિટિવના કુલ ૩૩૨ કેસ નોંધાયા છે. જેમાંથી એકલા ભાવનગર શહેરમાં જ ૨૬૨ દરદી સામે આવ્યા છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં માત્ર ૭૦ લોકો કોરોનાગ્રસ્ત બન્યા છે. આમ, ૨૫ દિવસમાં શહેરની તુલનામાં ગ્રામિણ વિસ્તારમાં ૩.૮ ગણાં કેસ ઓછા નોંધાયા છે. તેમાં પણ ઘણાં મહિનાઓ બાદ ૧૬મી નવેમ્બરને બેસતા વર્ષના દિવસે ગ્રામ્ય વિસ્તારમાંથી એક પણ કોરોનાનો કેસ સામે આવ્યો ન હતો.
દિવાળી-બેસતા વર્ષના તહેવારો બાદ હાલ જિલ્લામાં કોરોના મહામારી ફરી રફ્તાર પકડી રહી છે. ત્યારે કોરોનાની ગતિને કાયમી બ્રેક મારવા માટે લોકોએ સ્વયંભૂ જ જાગૃતતા દાખવી જરૂરી બની છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3nZvvKa
0 Response to "ભાવનગરમાં કોરોનાના વધુ 19 કેસ નોંધાતા ખળભળાટ"
Post a Comment