
કોરોનાની મહામારી વચ્ચે ભાવનગરના દરિયામાં ભૂકંપના બે આંચકાથી ફફફાટ
ભાવનગર, તા. 25 નવેમ્બર 2020, બુધવાર
કોરોનાની મહામારી વચ્ચે ભાવનગરના દરિયામાં ભૂકંપના આંચકા નોંધાયા હતા તેથી લોકોમાં ફફડાટ ફેલાયો હતો. ભૂકંપના બે આંચકા આવ્યા હતા પરંતુ બંનેની તિવ્રતા સામાન્ય હોવાથી કોઈ ચિંતાની બાબત નથી તેમ જાણકારોએ જણાવ્યુ હતું. ઘણા સમય બાદ ફરી ભાવનગરની નજીક ધરતીકંપના આંચકા આવતા લોકોમાં ગભરાટ જોવા મળી રહ્યો છે.
ભાવનગર શહેરથી ૪૪ થી ૪૬ કિલોમીટર દુર દરિયામાં આજે બુધવારે વહેલી સવારે ૪ કલાકે ભૂકંપનો આંચકો નોંધાયો હતો અને ફરી બે મીનીટ બાદ બીજો ભૂકંપનો આંચકો આવ્યો હતો. આ આંચકાની તિવ્રતા માત્ર ર.૦ની હતી તેથી લોકોને ભૂકંપ આવ્યાની ખબર પડી ન હતી. મોટાભાગના લોકો વહેલી સવારે નિદરમાં હતા ત્યારે ભૂકંપના આંચકા આવ્યા હતાં. ભાવનગર-ભરૂચ વચ્ચેના દરિયામાં ધરતીકંપ આવ્યો હોવાનુ જાણવા મળેલ છે. આ બંને આંચકા ભૂકંપ માપક કેન્દ્રના સિસ્મોગ્રાફી યંત્રમાં નોંધાયા છે તેથી લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, ઘણા લાંબા સમય બાદ ભાવનગરની નજીક ધરતકંપના આંચકા નોંધાયા છે. હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે અને ભાવનગરમાં કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે ધરતીકંપ નોંધાતા લોકોમાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. ધરતીકંપના આંચકાની તિવ્રતા ઓછી હોવાથી લોકોને રાહત થઈ છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3o1gNSz
0 Response to "કોરોનાની મહામારી વચ્ચે ભાવનગરના દરિયામાં ભૂકંપના બે આંચકાથી ફફફાટ"
Post a Comment