આણંદ જિલ્લામાં તહેવારોના દિવસોમાં પણ કોરોના પોઝિટિવના વધુ 14 કેસ

આણંદ જિલ્લામાં તહેવારોના દિવસોમાં પણ કોરોના પોઝિટિવના વધુ 14 કેસ


આણંદ, તા.12 નવેમ્બર 2020, ગુરુવાર

આણંદ જિલ્લામાં છેલ્લા બે દિવસ દરમ્યાન કોરોના સંક્રમણ ઘટયા બાદ બુધવારના રોજ પુનઃ કેસોમાં વધારો નોંધાતા જિલ્લાવાસીઓમાં ફફડાટની લાગણી વ્યાપી જવા પામી છે. બુધવારના રોજ પુનઃ આણંદ જિલ્લામાં કોરોના ૧૪ પોઝીટીવ કેસ નોંધાતા તંત્ર હરકતમાં આવી ગયું છે આજે પણ જિલ્લામાં ૧૪ કેસ નોંધાયા હતા જેમાં સૌથી વધુ આણંદમાં કેસ મળ્યા હતા. આ ઉપરાંત ઉમરેઠ, પેટલાદ, વિદ્યાનગર અને સારસામાં પણ કોરોના પોઝિટિવના કેસો નોંધાયા હતા.

ઓક્ટબર માસ અને નવેમ્બર માસના પ્રથમ સપ્તાહ દરમ્યાન કોરોનાનો પ્રકોપ વધવા પામ્યો હતો. નવેમ્બર માસના પ્રથમ સપ્તાહમાં ૭૪ જેટલા કેસ નોંધાયા હતા. પરંતુ તા.૯ના રોજ ૪ અને તા.૧૦ના રોજ ૬ કેસ નોંધાતા કોરોનાનું સંક્રમણ ઘટવા પામ્યું હતું. જો કે ગત રોજ એટલે તા.૧૧ને બુધવારના રોજ આણંદ જિલ્લામાંથી કોરોના ૧૪ પોઝીટીવ કેસ મળી આવતા તંત્રની ચિંતામાં વધારો થવા પામ્યો છે. ગત રોજ આણંદ તાલુકામાંથી ૮, પેટલાદ તાલુકામાંથી ૩, ઉમરેઠ તાલુકામાંથી ૨ તેમજ બોરસદ અને ખંભાત તાલુકામાંથી ૧-૧ કોરોના પોઝીટીવ કેસ મળી આવ્યા હતા.

જેમાં આણંદ શહેરમાંથી યોગી પાર્ક સોસાયટીમાં ૪૪ વર્ષીય મહિલા, અજય પાર્ક સોસાયટીમાં ૬૧ વર્ષીય પુરૂષ, સહજાનંદ સ્ટેટસમાં ૩૬ વર્ષીય પુરૂષ, મહેશ્વરી સોસાયટીમાં ૪૪ વર્ષીય પુરૂષ, શિવધામ ટેનામેન્ટમાં ૩૯ વર્ષીય પુરૂષ અને આનંદ પાર્ક સોસાયટીમાં ૨૮ વર્ષીય મહિલા કોરોનાથી સંક્રમિત થયા છે. અન્ય કેસોમાં વિદ્યાનગરની રેઈન્બો પાર્ક સોસાયટીના એક ૫૩ વર્ષીય પુરૂષનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો છે. 

જ્યારે પેટલાદની વૈજનાથ સોસાયટીના ૩૨ વર્ષીય પુરૂષ તેમજ જીઆઈડીસીમાં ૨૨ વર્ષીય મહિલા અને ભાટીયેલ ગામે એસબીઆઈ પાછળ રહેતા ૪૪ વર્ષીય પુરૂષ પણ કોરોના સંક્રમિત થયા છે. વધુમાં ઉમરેઠના બોરડી ફળીયામાં રહેતા ૫૫ વર્ષીય પુરૂષ, લીંગડા ગામે રહેતા ૨૮ વર્ષીય યુવક, બોરસદ શહેરમાં ૧૦૦ ફૂટ રોડ ઉપર રહેતી ૨૫ વર્ષીય મહિલા અને ખંભાતના ઝંડાચોક ખાતે રહેતા ૩૮ વર્ષીય પુરૂષનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો છે. 

જિલ્લા આરોગ્ય તંત્રના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં જિલ્લામાં ૧૦૬૭૨૮ વ્યક્તિઓના ટેસ્ટીંગ કરાયા હતા. જે પૈકી ૧૫૪૭ વ્યક્તિઓના ટેસ્ટ પોઝીટીવ આવ્યા હતા. તેમાંના ૪૩ વ્યક્તિઓ વિવિધ હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે. જે પૈકી ૩ વ્યક્તિ ઓક્સિજન ઉપર અને ૪૦ વ્યક્તિઓની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. સારવાર હેઠળના કુલ દર્દીઓ પૈકી ૧૮ દર્દીઓ વિવિધ હોસ્પિટલમાં જ્યારે ૨૫ દર્દીઓ હોમ આઈસોલેશનમાં હોવાનું જાણવા મળ્યું છે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/35swFHE

0 Response to "આણંદ જિલ્લામાં તહેવારોના દિવસોમાં પણ કોરોના પોઝિટિવના વધુ 14 કેસ"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel