
કાંસની સફાઈ ન કરાતા નજીકમાં રહેતા લોકોમાં રોગચાળો ફેલાવાની દહેશત
નડિયાદ, તા.12 નવેમ્બર 2020, ગુરુવાર
ઠાસરા નગર પાલિકાની હદમાં આવેલ કાંસની સફાઇ કાંસ વિભાગવાળા ના કરતા નજીકમાં રહેતા કાંસની ઉપર રહેતા નગરજનોમાં રોગ ફેલાવવાની ભીતી ફેલાઇ છે.પાલિકા દ્વારા ગત વર્ષે એક પત્ર પાઠલી તંત્રને કાંસ સફાઇ કરવા જણાવ્યુ હતુ.તેમ છતા તંત્ર દ્વારા આ કાંસની સફાઇ કરવામાં આવી ન હોવાનુ સ્થાનિક ગ્રામજનો જણાવી રહ્યા છે.
ઠાસરા શહેરના સ્વામીનારાયણ મંદિર થઇને જે.એમ.દેસાઇ હાઇસ્કુલના ચાર રસ્તા,રેલ્વે નાળામાંથી શાહપુર સીમ વિસ્તારમાં જવાય છે.ગયા ઉનાળામાં કાંસ વિભાગે કાંસ સફાઇ કરવામાં આવી ન હતી.જેથી હાલ કાંસની અંદર વહી રહેલ પાણી આગળ જઇ શકતુ નથી.તેથી ભાથીજી પ્રાથમિક શાળા સામે રહેતા ગરીબ માણસોના ઝુંપડા રહેઠાણોમાં ચોમાસામાં પાણી ભરાઇ રહે છે.તેમજ નજીકમાં આવેલ તળાવ ઓવર ફલો થાય ત્યારે આ વિસ્તારના ઘરોમાં પાણી ભરાઇ જવાના કારણે ઘરવખરી પણ પલડી જાય છે.
શહેરના ભાથીજી પ્રાથમિક શાળા સામેથી નીકળતા કાંસની સફાઇ ઘણા સમયથી કરવામાં આવી નથી.તેથી કાંસમાં માટી કચરો અને જંગલી વેલ ઉગી નિકળી છે.તેમજ ઝેરી જીવ જંતુઓ ભરાઇ રહે છે.આ ઉપરાંત કાંસમાં ભરાય રહેલ પાણી અસહ્ય ગંદકીના થી રોગચાળાનો ભય રહ્યા કરે છે.આ કાંસ બળીયાદેવ મંદિર અને ભાથીજી પગાર કેન્દ્રની સામેથી નીકળતો હોય ભાથીજી પ્રાથમિક શાળામાં ભણતા બાળકોનુ ભાવી જોખમરૂપ બન્યુ છે.
આ ઉપરાંત શહેરના તળાવો ઓવરફલો થઇને ચોમાસામાં આ કાંસ બે કાંઠે પાણી વહે છે.આ કાંસની સફાઇ કરવા માટે ઠાસરા પાલિકા દ્વારા ગયા વર્ષે એક પત્ર લખીને કાંસની સફાઇ કરવા જણાવ્યુ છે.શહેરમાં આવેલ ત્રણ અલગ અલગ કાંસોની સફાઇ કરવા માંગ કરી હતી.પરંતુ અત્યાર સુધી આ કામ કરવામાં આવ્યુ ન હોવાનુ સ્થાનિક નાગરિકો જણાવી રહ્યા છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3eTgBlb
0 Response to "કાંસની સફાઈ ન કરાતા નજીકમાં રહેતા લોકોમાં રોગચાળો ફેલાવાની દહેશત"
Post a Comment