દૂધરેજ પાસે ટ્રેનની અડફેટે આવી જતાં યુવક-યુવતીનાં ઘટનાસ્થળે મોત

દૂધરેજ પાસે ટ્રેનની અડફેટે આવી જતાં યુવક-યુવતીનાં ઘટનાસ્થળે મોત


સુરેન્દ્રનગર, તા.19 ઓકટોબર 2020, સોમવાર

સુરેન્દ્રનગર શહેરી વિસ્તાર અને તાલુકાઓમાંથી પસાર થતી રેલ્વે લાઈન પર ટ્રેન અથવા માલગાડીની અડફેટે અકસ્માતે મોતના બનાવો તેમજ આત્મહત્યાના બનાવો વધી રહ્યાં છે જેમાં મોટાભાગે પ્રેમી પંખીડાઓ આત્મહત્યા કરતાં હોવાનું ચર્ચાઈ રહ્યું છે ત્યારે શહેરના દુધરેજ નજીકથી પસાર થતાં રેલ્વે ટ્રેક પર યુવક અને યુવતીએ આત્મહત્યા કરતાં ચકચાર મચી જવા પામી હતી.

આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ શહેરના દુધરેજ નજીક આવેલ રેલ્વે ટ્રેક પર સવારના સમયે અજાણ્યા યુવક-યુવતીની ટ્રેનની અડફેટે આવી જતાં લાશ મળી આવી હતી. જેની જાણ થતાં આસપાસથી પસાર થતાં લોકોના ટોળેટોળાં ઘટના સ્થળે ઉમટી પડયાં હતાં અને આ અંગે સ્થાનિક તંત્ર સહિત રેલ્વે પોલીસને જાણ કરતાં પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને વધુ તપાસ હાથધરી હતી.

જ્યારે પ્રાથમિક તપાસમાં અગમ્ય કારણોસર રેલ્વે ટ્રેક પરથી પસાર થતી ટ્રેન અથવા માલગાડી નીચે ઝંપલાવી યુવક અને યુવતીએ આત્મહત્યા કરી હોવાનું બહાર આવ્યું હતું તેમજ વધુ તપાસ દરમ્યાન બંન્ને યુવક યુવતી ધ્રાંગધ્રા તાલુકાના હોવાનું અને પ્રેમીપંખીડા હોવાનું બહાર આવ્યું હતું.

તેમજ કોઈ કારણોસર બંન્નેના લગ્ન થઈ શકે તેમ ન હોય સાથે આત્મહત્યા કરી મોતને વ્હાલું કર્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે જ્યારે પોલીસે બંન્નેની લાશનો કબ્જો લઈ પીએમ અર્થે મોકલી વધુ તપાસ હાથધરી હતી જ્યારે આ બનાવથી યુવક-યુવતીના પરિવારજનો સહિત સમગ્ર ગામમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3dNkSWL

0 Response to "દૂધરેજ પાસે ટ્રેનની અડફેટે આવી જતાં યુવક-યુવતીનાં ઘટનાસ્થળે મોત"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel