
ગોવિંદ પરમારે ભાજપનું નાક દબાવ્યું પણ મેળ પડયો નહીં
અમદાવાદ, તા. 19 ઓક્ટોબર, 2020, સોમવાર
અમૂલ ડેરીની ચૂંટણીમાં ભાજપના સાંસદે જ ભાજપના ધારાસભ્યને હરાવ્યા હોવાનો વિવાદ છેક ગાંધીનગર સુધી પહોંચ્યો હતો. આ મામલે નારાજ ધારાસભ્ય ગોવિંદ પરમારે ધારાસભ્યપદેથી રાજીનામુ ધરી દેવા ચિમકી આપી હતી.જોકે, પાટનગર ગાંધીનગરમાં મુખ્યમંત્રી સાથે મુલાકાત થયા બાદ ગોવિંદ પરમારની નારાજગી દૂર થઇ હતી. જોકે, ભાજપનુ નાક દબાવવા ગોવિંદ પરમારે કરેલો પ્રયાસ એકમાત્ર રાજકીય ડ્રામા બની રહ્યો હતો.
અમૂલ ડેરીની ચૂંટણીમાં ભાજપના સાંસદ મિતેશ પટેલે પક્ષવિરોધી પ્રવૃતિ કરી હોવાના આક્ષેપ કરી ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમારે મંગળવારે ધારાસભ્યપદેથી રાજીનામુ ધરી દેવા એલાન કર્યુ હતું. જોકે, આ નારાજગીને લઇને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગોવિંદ પરમારને ગાંધીનગરનું તેડુ મોકલાવ્યુ હતું. જોકે, ગોવિંદ પરમારે મુખ્યમંત્રી સાથેની મુલાકાત બાદ રાજીનામુ આપવાનું મોકુફ રાખ્યુ હતું.
તેમણે સ્પષ્ટ કર્યુ હતુંકે, મારી સરકાર કે ભાજપ સામે કોઇ નારાજગી નથી.જિલ્લા સંગઠન કઇં પુછતુ નથી. સાંસદ મિતેશ પટેલ જૂથવાદ-કોમવાદ ચલાવે છે.પક્ષવિરોધીઓના નામ સાથે વિગતો મુખ્યમંત્રીને આપી છે. જોકે, મુખ્યમંત્રી સમક્ષ સાંસદ વિરૂધ્ધ રોષ ઠાલવી ગોવિંદ પરમારે માત્ર સંતોષ વ્યક્ત કર્યો હતો. આમ,ભાજપ ડેમેજ કંટ્રોલ કરવામાં સફળ રહ્યુ હતું.
પક્ષની નાક દબાવવા ગોવિંદ પરમારે ઇનામદારવાળી કરવા ચિમકી ઉચ્ચારી હતી ખરી પણ માત્ર રાજકીય ડ્રામા બની રહ્યો હતો જેનો ગણતરીના મિનીટોમાં જ અંત આવ્યો હતો.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3jd30G2
0 Response to "ગોવિંદ પરમારે ભાજપનું નાક દબાવ્યું પણ મેળ પડયો નહીં"
Post a Comment