
લીંબડી પેટા ચૂંટણી : સુરૂચિ ભંગ થાય તેવા ભાષણો પર પ્રતિબંધ
સુરેન્દ્રનગર, તા.12 ઓકટોબર 2020, સોમવાર
લીંબડી વિધાનસભાની પેટા ચુંટણીને ધ્યાને લઈ ચુંટણી આચારસંહિતાની જોગવાઈઓના અમલ માટે સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય રહે તે માટે સુરેન્દ્રનગર જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ ભરત જોષીએ એક હુકમ દ્વારા સુરૂચી નીતીનો ભંગ થતો હોય અથવા જેનાથી રાજ્યની સલામતી જોખમાતી હોય અથવા જેને પરિણામે રાજ્ય ઉથલી પડવાનો સંભવ હોય તેવાં છટાદાર ભાષણ કરવા ઉપર પ્રતિબંધ મુક્યો છે.
જે મુજબ આવા છટાદાર ભાષણ આપવાથી, ચાળા પાડવાથી, નકલ કરવાથી તથા ચીત્રો, નિશાનીઓ, જાહેરખબરો અથવા બીજા પદાર્થ અથવા વસ્તુ તૈયાર કરવાથી, દેખાડવાથી તેનો ફેલાવો કરવાથી અથવા અધિકૃત કરાયેલ અધિકારીના અભિપ્રાય પ્રમાણે સુરૂચી નીતીનો ભંગ થતો હોય તેવાં ભાષણો આપવાની અને ફેલાવો કરવાના કૃત્યો કરવા ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2H0ubpS
0 Response to "લીંબડી પેટા ચૂંટણી : સુરૂચિ ભંગ થાય તેવા ભાષણો પર પ્રતિબંધ"
Post a Comment