
કચ્છમાં કુલ વસતીના માત્ર ચાર ટકા કોરોના ટેસ્ટ, હજુ 96% લોકો બાકી!
ભુજ, તા. 12 ઓકટોબર 2020, સોમવાર
કચ્છમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના પોઝિટિવ કેસોનો આંક સાવ જ ઘટી ગયા છે. એટલે લોકોને એમ હશે કે કચ્છમાં કોરોના વિદાય લઈ રહ્યો છે. પરંતુ, વાસ્તવિકતા કંઈક જુદી છે. કોરોનાનો કહેર તો આજે પણ એટલો જ છે. પરંતુ આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાના ટેસ્ટ ઘટાડી નાખવામાં આવતા પોઝિટિવ કેસોનો આંક ઘટી ગયો છે. જો ટેસ્ટની સંખ્યા વધારી નાખવામાં આવે તો આજે પણ કોરોનાના અસંખ્ય કેસો નોંધાય તેમ છે. તો બીજી તરફ કચ્છની ૨૦ લાખની વસ્તી સામે માત્ર ૮૪,૫૦૦ ટેસ્ટ થયા છે.
બુધ્ધિજીવીઓના મતે ૧ લી ઓગસ્ટના ૫૫૦ પોઝિટિવ દર્દીઓ અને ૨૮ ના મોત જયારે ૧૨ ઓકટોબરે પોઝીટીવ દર્દીઓનો આંક ૨૪૦૧ અને સતાવાર મોત ૬૯ જયારે બિનસતાવાર તો ૧૧૭ હોવાની ચર્ચા છે. એટલે ટેસ્ટ વધ્યા તેની સાથે પોઝીટીવ કેસો અને મૃતાંકની સંખ્યા પણ વધી છે. અને જેવા ટેસ્ટ ઘટાડી નાખવામાં આવ્યા કે કોરોનાના કેસોની સંખ્યા પણ ઘટી ગઈ છે.
છેલ્લા એકાદ પખવાડીયાથી તો કચ્છમાં કોરોનાના કેસો સાત તળીયે જઈ રહ્યા છે. એટલે કે, ૨૦ની આસપાસ જ નોંધાઈ રહ્યા છે એટલે લોકોને રાહત અનુભવાઈ રહી છે પરંતુ એવુ નથી આજે પણ જો પોઝીટીવ કેસોની સંખ્યા વધારી નાખવામાં આવે તો કોરોનાનો આંક ઉંચકાય તેમ છે.
માહિતગાર સુત્રોના જણાવ્યા પ્રમાણે, કચ્છની ૨૦ લાખની વસ્તી સામે માત્ર ૮૪૫૦૦ જ ટેસ્ટ થયા છે. એટલે કચ્છની કુલ વસ્તી સામે માત્ર ૪% ટેસ્ટ થયા હોય તેમ કહી શકાય અને હજુ ૯૬% લોકોના કોરોનાના ટેસ્ટ બાકી છે તે નકકી છે. આમ, આરોગ્ય તંત્ર સબ સલામતીના સુર વગાડે છે અને રાજકીય પક્ષો ચુંટણી પ્રચારમાં વ્યસ્ત છે. જયારે કોરોનાની હકીકત કંઈક જુદી છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2GLbuqK
0 Response to "કચ્છમાં કુલ વસતીના માત્ર ચાર ટકા કોરોના ટેસ્ટ, હજુ 96% લોકો બાકી!"
Post a Comment