દશેરા પહેલા ફાફડા જલેબીના ભાવ સાતમા આસમાને પહોંચ્યા

દશેરા પહેલા ફાફડા જલેબીના ભાવ સાતમા આસમાને પહોંચ્યા


ભુજ, તા. 24 ઓક્ટોબર 2020, શનિવાર

વૈશ્વિક મહામારીની અસર હિન્દુ ધર્મના તહેવારો ઉપર પડી છે. આ કોરોના સંક્રમણને અટકાવવા માટે સરકાર દ્વારા નવરાત્રી ઉજવણી રદ કરાયા બાદ રાવણ દહન થવાનું નથી. પરંતુ કચ્છના સ્વાદ શોખીનો ફાફડા-જલેબીની જયાફત જરૂરથી ઉડાવશે. ત્યારે વિજયાદશમી પહેલા જ ફાફડા-જલેબીના ભાવમાં વધારો થયો છે. જેથી દશેરા પહેલા મળતા ફાફડા-જલેબીના ઓર્ડર પર માઠી અસર થઈ છે. 

કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં કોરોનાના દર્દીઓમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે રાજ્ય સરકારે ગરબાના આયોજનો અને રાવણ દહન જેવા કાર્યક્રમો જ્યાં લોકોની ભીડ એકઠી થતી હોય ત્યાં પ્રતિબંધ ફરમાવ્યો છે. તેમ છતાં દશેરાની ઉજવણીના ભાગરૂપે ફાફડા-જલેબી ખાવાનો રિવાજ છે. આ વખતે દરવર્ષની જેમ જ લોકો ફાફડા-જલેબીની લિજ્જત માણશે. જેથી ફરસાણના વેપારીઓને ત્યાં બે દિવસ અગાઉથી જ તૈયારીઓ થઈ ગઈ છે. હાલમાં ફાફડા રૂા. ૪૫૦ થી ૬૦૦ રૂપિયે કિલો જ્યારે ચોખ્ખા ઘી માં જલેબી ૬૦૦ રૂપિયા કિલો જ્યારે ચોખ્ખા ઘી માં જલેબી ૬૦૦થી ૭૦૦ રૂપિયે કિલો વેચાઈ રહ્યા છે. જ્યારે તેલમાં તળેલી જલેબી ૨૬૦ થી ૪૦૦ રૂપીયા કિલો આસપાસ વેચાણ થઈ રહ્યું છે. જોકે દશેરાના દિવસે ભાવમાં વધારો લેવાય તો નવાઈ નહિ. 

અત્રે ઉલ્લેખનીય છે કે ઉત્સવપ્રિય અને સ્વાદ શોખીન કચ્છીઓ તહેવારોની ઉજવણીમાં ખાવાની વસ્તુઓમાં કવોલીટીની બાબતે બાંધછોડ કરતા નથી. આવતીકાલે દશેરાના ફાફડા-જલેબીના ભાવ વધી જાય તો ઓછા ખાવાના પણ તહેવારોને અનુરૂપ મીઠાઈ-ફરસાણ ખાવામાં કચ્છીઓ માને છે. જોકે દર વર્ષ કરતા આ વર્ષે પરિસ્થિતી જુદી છે. કોરોનાના કારણે લોકો આર્થિક સંકડામણમાં છે. છતાં તહેવારોમાં ઘરે બેઠા ફાફડા-જલેબીની જયાફત ઉડાવવામાં કસર નહિ છોડે એ પણ હકીકત છે. સામાન્ય રીતે જિલ્લામથક ભુજ સહિતના શહેરી વિસ્તારોમાં ફરસાણના વેપારીઓને ત્યાં મંડપ બંધાય છે. એ રીતે એક દિવસ પુરતા મંડપ બાંધીને સ્ટોલ ઉભા કરી સીઝનલ ધંધાર્થીઓ ફાફડા-જલેબીનું વેંચાણ કરતા હોય છે. ફરસાણના વેપારીઓના જણાવ્યા પ્રમાણે દરવર્ષે દશેરા પર કચ્છના લોકો લાખોના ફાફડા-જલેબી અને ચોરાફળી આરોગી જતા હતા. પરંતુ આ વખતે કોરોનાકાળ અને આર્થિક તંગીના કારણે ૫૦ ટકા ધંધો થાય તેવી શક્યતા છે. 

વિજયા દશમીના ફાફડા-જલેબી ચોરાફળીનું શા માટે મહત્વ 

વિજયાદશમીના દિવસે ફાફડા-ચોરાફળી શા માટે ખવાય છે. આ અંગે મીઠાઈ-ફરસાણના વિક્રેતાઓના કહેવા પ્રમાણે નવરાત્રિમાં નવદિવસે ઉપવાસ પછી લોકોને પહેલા જ દિવસે એવો ખોરાક ગ્રહણ કરવો જોઈએ. જેથી તેમને તકલીફ ન પડે જેથી પરંપરાગત પુર્વજોએ ચોરાફળી અને એ જ લોટના ફાફડા ખાઈને ઉપવાસ તોડતા સમય જતાં ઘરને બદલે દશેરાએ ફરસાણની દુકાનોમાં ફાફડા-જલેબી વેચવાનું ચલણ વહ્યું અને લોકો તૈયાર જ ફરસાણ-મીઠાઈ સાથે ચોરાફળી ખાવા ટેવાઈ ગયા. 



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/31DB2gH

0 Response to "દશેરા પહેલા ફાફડા જલેબીના ભાવ સાતમા આસમાને પહોંચ્યા"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel