
કચ્છના મહારાવે જે ભાલાથી સિંહનો શિકાર કર્યો હતો તેની આજે પણ થતી પુજા
- ભુજના સ્વામી. મંદિર સામે આવેલા સમી વૃક્ષનું આજે સાંજે ૫-૩૦ રાજવી પરિવાર દ્વારા પુજન કરાશે
- પાંડવોએ અજ્ઞાાતવાસ દરમિયાન હાલના ગેડી ગામમાં સમીના વૃક્ષ પર શસ્ત્રો છુપાવતા સમીનું પણ થતું પુજન
નવલા નોરતાની અંતિમ દિવસે વિજયાદશમી આવતીકાલે ધામધુમથી ઉજવણી થશે. ત્યારે કચ્છની ધરતી સાથે જોડાયેલી દશેરાની રસપ્રદ ઐતિહાસિક વાયરા અનુસાર આશરે પાંચ સૈકા જેટલા સમય પુર્વે કચ્છની સ્થાપના કરનાર મહારાવ ખેંગારજીએ અમદાવાદના બાદશાહ મહમદ બેગડાને બચાવવા જે ભાલાથી સિંહનો શિકાર કરેલો તે ભાલો એટલે કે સાંગનું પુજન કરવામાં આવશે. બીજીતરફ સમી વૃક્ષના થતા પુજનની ધાર્મિક માન્યતા કાંઈક એવી છે કે પાંડવોના અજ્ઞાાતવાસ દરમિયાન અર્જુનએ વાગડ વિસ્તારમાં આવેલી વિરાટનગરમાં પોતાના દિવ્યશસ્ત્રો સમીના વૃક્ષ પર છુપાવ્યા હોવાથી ત્યારથી સમી એટલે કે ખીજડાના વૃક્ષની પરંપરાગત પુજા કરાય છે.
કચ્છના જિલ્લામથક ભુજમાં આવતીકાલે વિજયાદશમીના દિવસે સ્વામિનારાયણ મંદિરની સામે આવલા સમીવૃક્ષની વર્તમાન રાજવી દ્વારા પરંપરાગત શાસ્ત્રોક્ત વિધિથી પુજન કરવામાં આવશે. આ પ્રસંગે પોશાળ જાગીરના અધ્યક્ષ પણ ભાલો લઈને પુજામાં જોડાશે. રાજાશાહી વખતના શસ્ત્રોની સાથે દર વર્ષે રાજવી પરિવાર દ્વારા પુજા કરાય છે.
આ અંગે મળતી વિગતો મુજબ અમદાવાદના બાદશાહ મહંમદ બેગડા સિંહનો શિકાર કરતા સિંહે તેના પર જ હુમલો કર્યો હતો. આ સમયે કચ્છના પ્રથમ મહારાવ ખેંગારજીએ ભાલાથી સિંહનો શિકાર કરીને મહમદ બેગડાનો જીવ બચાવ્યો હતો. સોળમી સદીની શરૂઆતમાં બનેલી આ ઘટના બાદ ખેંગારજી બાવાએ કચ્છ રાજ્યની સ્થાપના કરી હતી. આજ સુધી ભાલો (સાંગ)ની પુજા કરવાની પરંપરા ચાલી આવે છે.
અજ્ઞાાતવાસ દરમિયાન પાંડવો કચ્છની ધરતી પર આવ્યા ત્યારે વાગડના હાલના રાપર તાલુકાના ગેડી વિસ્તારમાં જે-તે સમયે આવેલી વિરાટનગરીમાં પાંડવો રહેતા હતા. પાંડવોએ રાજવી ઓળખ છતી ન થાય તે માટે સામાન્ય પહેરવેશ ધારણ કરવાની સાથે શસ્ત્રો પણ સાથે રાખવાના નહોતા. પાંડવોમાં અર્જુન પાસે ગાંડીવ સહિતના દિવ્યશસ્ત્રો હતા. આ શસ્ત્રો જમીન પર છુપાવી શકાય તેમ જ હોઈ સમીના વૃક્ષ પર છુપાવ્યા હતા. ત્યારથી રાજવી પરિવારો વિજયાદશમીના દિવસે શસ્ત્રોથી સાથે સમીના વૃક્ષનું પણ પુજન કરે છે. આવતીકાલે વિજયાદશમીના દિવસે રાજપરિવાર દ્વારા પરંપરાગત સાંજે ૫-૩૦ સમૃવૃક્ષનું પુજન કરવામાં આવશે. પુજાવિધિમાં તેરા ઠાકોર મયુરધ્વજસિંહ , ઈન્દ્રજીતસિંહ (નલિયા) ઉપસ્થિત રહેશે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3kt0X1N
0 Response to "કચ્છના મહારાવે જે ભાલાથી સિંહનો શિકાર કર્યો હતો તેની આજે પણ થતી પુજા"
Post a Comment