
કચ્છમાં કોરોનાના ર૩ નવા કેસ નોંધાયા, ચાર તાલુકાઓમાં શૂન્ય!
ભુજ, શુક્રવાર
કચ્છ જિલ્લામાં આજે કોરોનાના ર૩ નવા કેસ બહાર આવ્યા છે. જો કે જિલ્લાના ચાર તાલુકાઓમાં એક પણ નવો કેસ નોંધાયો નાથી. સામાપક્ષે ર૪ દર્દીઓ સ્વસૃથ થઈ જતા જુદી જુદી હોસ્પિટલો અને હોમ આઈસોલેશનમાંથી રજા આપવામાં આવી છે. ભુજ શહેરમાં આજે એક સાથે આઠ નવા કેસ બહાર આવતા લોકોએ તહેવારોના સમયમાં વાધારે સાવચેતી રાખવી પડે તેવા સંજોગો પેદા થયા છે.
કચ્છમાં ગઈકાલે જ્યાં પેટા ચૂંટણી થવાની છે તેવા અબડાસા તાલુકામાં કોરોના વિસ્ફોટ થયો હોય તેવી સિૃથતિ બાદ આજે અબડાસાના ગ્રામ્ય વિસ્તારમાં માત્ર એક જ કેસ નોંધાયો છે. આ ઉપરાંત અંજારમાં ર, ભચાઉમાં ૧, ભુજમાં ૧૩, ગાંધીધામમાં ૪ અને માંડવી તાલુકામાં ર નવા કેસ નોંધાયા છે. જિલ્લામાં શહેરી વિસ્તારમાં ૧૫ અને ગ્રામ્ય વિસ્તારમાં ૮ કેસ પોઝિટિવ આવ્યા છે. આ સાથે જિલ્લામાં કોરોનાની એકંદર સિૃથતિ પર નજર કરીએ તો અત્યાર સુાધીના કુલ પોઝિટિવ કેસનો આંકડો ૨૫૧૪ સુાધી પહોંચ્યો છે. તેમાંથી ૨૦૯૧ દર્દીઓ સાજા થઈ ગયા છે અને ૩૦૪ દર્દીઓ હાલ સારવાર હેઠળ છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/37dzwFv
0 Response to "કચ્છમાં કોરોનાના ર૩ નવા કેસ નોંધાયા, ચાર તાલુકાઓમાં શૂન્ય!"
Post a Comment