હવામાનમાં પલટો : ભુજ, ભચાઉ તેમજ અંજારમાં વરસાદી ઝાપટા

હવામાનમાં પલટો : ભુજ, ભચાઉ તેમજ અંજારમાં વરસાદી ઝાપટા

ભુજ,શુક્રવાર

અરબી સમુદ્રમાં  સર્જાયેલા લો પ્રેશર સક્રિય થતા કચ્છના વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. ભુજ, ભચાઉ અને અંજારમાં વરસાદના ઝાપટા વરસ્ય હતા. રાજકોટ અને ભુજ ૩૮.૪ ડિગ્રી સાથે રાજ્યના સર્વાિધક ગરમ માથક બન્યા હતા.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે અરબી સમુદ્રમાં વેલમાર્ક લો પ્રેશર સક્રિય થતા આગાહી ર૪ કલાકમાં ડિપ્રેશનમાં ફેરવાશે. હળવાથી મધ્યમ વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. દરિયાકાંઠા વિસ્તારમાં પપાથી ૬પ કિ.મી.ની ઝડપે પવન ફુંકાઈ શકે છે. જેાથી માછીમારોને દરિયો ન ખેડવા જણાવાયું છે. સાવચેતીના ભાગરૃપે કંડલા પોર્ટ પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવાયું છે. તંત્ર દ્વારા  જિલ્લામાં વરસાદની આગાહીને પગલે તકેદારીના પગલાં લેવાયા છે.

હવામાન વિભાગની આગાહી વચ્ચે ભચાઉ અને અંજાર પંથકમાં વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. ભચાઉમાં સાંજે  વરસાદી ઝાપટુ વરસ્યું હતું. અંજાર હળવુ વરસાદ ઝાપટુ વરસતા રસ્તાઓ ઉપર પાણી વહી નીકળ્યા હતા. ભચાઉના લલીયાણામાં ધોધમાર વરસાદ પડયો હોવાનું જાણવા મળ્યંુ છે. ભુજમાં મહત્તમ તાપમાન ગઈકાલની તુલનાએ એક ડિગ્રી જેટલું વાધીને ૩૮.૪ ડિગ્રી નોંધાતા વાતાવરણમાં ગરમી અનુભવાઈ હતી. લઘુત્તમ તાપમાન ર૭.ર ડિગ્રએ પહોંચી જતાં રાત્રિના લોકો ઉકળાટાથી  અકળાયા હતા. ઉત્તર-પૂર્વ દિશાએાથી પ્રતિ કલાક સરેરાશ ૮ કિ.મી.ની ઝડપે પવન ફુંકાયો હતો. મોડી સાંજ પછી વાતાવરણ પલટતા વીજળીના કડાકા ભડાકા થયા હતા અને પવનના સુસવાટા વચ્ચે વરસાદનું આગમન થયું હતું વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

કચ્છમાં ખેડૂતો કમોસમી વરસાદથી પાકને બચાવવા માટેની મથામણમાં

કોંકણના દરિયામાં સર્જાયેલા લો પ્રસરના પગલે ગુજરાતના કચ્છ સહિતના અમુક વિસ્તારોમાં આગામી પાંચ દિવસ સુાધી હળવાથી મધ્યમ વરસાદની હવામાન ખાતાની આગાહીના પગલે ખેડૂતોમાં ચિંતાના વાદળો છવાયા છે. પ્રાથમ જ સીઝનના વરસાદમાં ભારે નુકશાની થઈ છે ત્યારે હવે માવઠાના કારણે ધરતીપુત્રો માટે પડયા પર પાટું સાબીત થશે એવી દહેશત વ્યક્ત કરવામાં આવી છે.  આ અંગે વધુ વિગતો મુજબ વાતાવરણીય વિષમતા વચ્ચે સરહદી આ જિલ્લામાં દિવસ દરમિયાન અસહૃ ગરમી અને રાત્રે ગુલાબી ઠંડી અનુભવવાઈ રહી છે. એમાં પાંચ દિવસ વરસાદની આગાહીના પગલે ખેડૂતોમાં રીતસરની દોડાધામ મચી જવા પામી છે. આમ પણ આ વર્ષે કચ્છ પર મેઘરાજાની મહેર થતા સર્વત્ર એકાધારા વરસેલા વરસાદના કારણે ખેડૂતોનો ૭૫ થી ૮૦ ટકા પાક હાથમાં આવે એવી શક્યતા હતી. કપાસ, એરંડા, મગફળી, તલ, દાડમ, મગ સહિતના પાકને ભારે નુકશાની થવા પામી છે. તેમાં પાછા વરસાદી માહોલ જામે એવી સિૃથતી સર્જાતા ખેડૂતોના જીવ તાળવે ચોંટી ગયા છે. આ અંગે નેત્રાના ખેડૂત શંકરભાઈ માકાણીના કહેવા મુજબ હાલમાં મગફળીનું ઉતારકામ ચાલી રહ્યું છે. તેાથી ૯૦ ટકા પાથારી વાડીઓમાં પડયા છે તો મજુરોની અછતના કારણે કપાસની છટણી બાકી છે. જોકે માલ તૈયાર છે એમાં જો વરસાદ પડશે તો પાથારા બાધા પલળી જાશે અને કપાસ કાળો પડી જશે તો કપાસનો પાક સદંતર નિષ્ફળ રહેશે. 

ઉપરાંત વાડીઓમાં હાલમાં તલ, કપાસ અને મગફળીના પાક તૈયાર ઉભા છે અને જો વરસાદ પડશે તો લાખોની નુકશાની વેઠવી પડશે. તેમજ ખેડુતોએ સક્કર ટેટીનું પણ વાવેતર કરી દીધું છે. હવામાન ખાતાની આગાહી સાચી પડે તો ધરતીપુત્રો માટે દાઝયા પર દામ સાબીત થશે. નેત્રા પંથકમાં ખેડૂતો તૈયાર પાકને બચાવવાની માથામણમાં છે. જોકે કમોસમી વરસાદ પડશે તો પાકનો ઉતાર બાકી છે. તેને બચાવવો મુશ્કેલ છે. 




from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3o1lM6T

0 Response to "હવામાનમાં પલટો : ભુજ, ભચાઉ તેમજ અંજારમાં વરસાદી ઝાપટા"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel