
નેત્રા ગામે રોષે ભરાયેલા ગ્રામજનો દ્વારા આરોગ્ય કેન્દ્ર, પશુ દવાખાનાને તાળાબંધી
ભુજ, બુાધવાર
નખત્રાણા તાલુકાના નેત્રા ગામના અવાર-નવાર રજુઆતો છતાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં એમબીબીએસ તબીબની નિમણુંક લાંબા સમયાથી ન કરાતા રોષે ભરાયેલા ગ્રામજનોએ આરોગ્ય કેન્દ્રને તાળું મારી દીધું હતું. એક તબક્કે કર્મચારીઓ દ્વારા તાળાબંધી અટકાવવા પ્રયાસ પણ કરાયો હતો. એ જ રીતે ગામના પશુ દવાખાનામાં પણ લાંબા અરસાથી પશુ ચિકિત્સકની ખાલી જગ્યા ન ભરાતા સૃથાનિકોએ પશુ દવાખાનાના ગેટને પણ તાળાબંધી કરી હતી. ગામમાં બેન્ક ઓફ બરોડાનું એટીએમ મશીન છે. પરંતુ શોભાના ગાંઠીયા સમાન છે. લોકોએ તાત્કાલીક નાણાની જરૃરત વખતે નખત્રાણા કે માતાનામઢ લાંબા થવું પડે છે. બેન્કના જવાબદારો ઠાલા આશ્વાસન આપે છે અને એટીએમનો ચાર્જ વસૂલ કરાતો હોય હવે ગામનું એટીએમ મશીન શરૃ નહિ કરાય તો તાળાબંધીની ચીમકી અપાઈ છે.
નેત્રાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમંક લાંબા સમયાથી ડોકટર સહિત સ્ટાફની ખાલી જગ્યા ભરવા વારંવાર જવાબદારો પાસે રજુઆત કરવામાં આવતી હોવા છતાં તંત્ર દ્વારા માંગણી ધ્યાને ન લેવાતા નેત્રા સહિત આસપાસના ગ્રામજનો એકત્રિત થઈ આરોગ્ય કેન્દ્રને તાળાબંધી કરી હતી. ગ્રામજનોના કહેવા મુજબ છેલ્લા એક દાયકાથી આ આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફની અછત છે હાલની પરિસિૃથતીમાં તંત્ર દ્વારા કોઈ ગંભીરતા ન દાખવાતા નારાજ થયેલા લોકોએ ના છુટકે તાળાબંધી કરવી પડી હતી તાથા ઉકેલ ન આવે ત્યાં સુાધી દવાખાના તાથા પશુ દવાખાનાને તાળું મારી દેવાનું જણાવી વિરોધ નોંધાવ્યો હતો. આ દરમિયાન ફરજ પરના કર્મચારીઓ તાળાબંધી અટકાવવા આકરું વલણ અપનાવ્યું હતું. જોકે સૃથાનિકોની સમજાવટ બાદ કર્મચારીઓ દવાખાનામાંથી બહાર નીકળ્યા હતા અને દવાખાનાને લોક લગાવી દેવાયો હતો. હાલે બેવડી ઋતુના કારણે સિઝનલ બિમારીઓ માથું ઉચક્યુ છે. ત્યારે તંત્ર ગંભીરતા દાખવે એ જરૃરી છે. તાજેતરમાં પશુઓમાં પણ રોગચાળો ફેલાયો હતો. પરંતુ છેલ્લા ૧૧ માસાથી પશુ દવાખાનું પણ પશુ ચિકિત્સક વિહોણું હોઈ માલાધારી વર્ગ પણ રોષે ભરાતા પશુ દવાખાનાના ગેટને પણ તાળાબંધી કરવામાં આવી હતી અને તબીબોની નિમણુંક સહિત સ્ટાફ ઘટ નહિ પુરાય ત્યાં સુાધી તાળું ખોલવા નહિ દેવાય તેવું ઉપસિૃથતોએ જણાવ્યું હતું.
આજે નેત્રાવાસીઓ લાંબા સમયાથી અસુવિાધાના કારણે થતી મુશ્કેલીના કારણે સમસ્યાનો સત્વરે ઉકેલ લાવવાના મુડમાં હોય એમ આરોગ્ય કેન્દ્ર અને પશુ દવાખાના બાદ લાંબા સમયાથી બંધ પડેલા એટીએમ મશીન બંધ હોતા અને અવાર-નવારની રજુઆતો બાદ પણ મશીન ચાલુ ન કરાતા બેંક ઓફ બરોડાને પણ તાળાબંધી કરવાના હતા. પરંતુ બ્રાન્ચના મેનેજરે ૧૫ દિવસમાં સમસ્યાના ઉકેલની ખાત્રી આપતા બેંકને તાળાબંધીનો કાર્યક્રમ હાલ પુરતો મુલવતી રાખ્યો હતો. જો ૧૫ દિવસમાં એટીએમ સેવા શરૃ નહિં થાય તો બેંકનો તાળું મારવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. હાલની પરિસિૃથતીમાં લોકોને કનડતી આ સમસ્યાનું તાત્કાલીક ધોરણે ઉકેલ નહિ આવે તો ગ્રામજનો દ્વારા આગામી વિાધાનસભાની અબડાસા સીટની ચુંટણીનો બહિષ્કાર કરી ઉગ્ર આંદોલન કરશે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/37ODViz
0 Response to "નેત્રા ગામે રોષે ભરાયેલા ગ્રામજનો દ્વારા આરોગ્ય કેન્દ્ર, પશુ દવાખાનાને તાળાબંધી"
Post a Comment