
દિવાળીના તહેવારોમાં પ્રવાસન ઉદ્યોગમાં તેજી આવવાની આશા
ભુજ, શનિવાર
કોવિડ મહામારીના કારણે ટુર-ટ્રાવેલ્સના બિઝનેસને કરોડોનું નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. જોકે અનલોકમાં મળેલી છુટછાટ અને દિવાળીના તહેવારો આવતા પ્રવાસન ઉદ્યોગ પુનઃ ધમાધમતો થાય તેવી સિૃથતી બની છે. જોકે મળતી માહિતી મુજબ દિવાળીના તહેવારમાં આ વખતે લોકો ડોમેસ્ટિક પ્રવાસ વધુ પસંદ કરી રહ્યા છે. વૈશ્વિક મહામારીમાં ઠપ થઈ ગયેલા પ્રવાસન ઉદ્યોગને ભારે નુકશાની વેઠવી પડી છે.
લોકડાઉન અને ત્યાર પછીના થોડા સમય સુાધી લોકોનું હરવા ફરવાનું બંધ રહેતા ટુર સંચાલકોને ભારે નુકશાની થવા પામી છે. જોકે હવે ધીરે-ધીરે જનજીવન થાળે પડવા સાથે પ્રવાસન સૃથળો પણ સરકારી નિયમો મુજબ ખુલી રહ્યા છે. ત્યારે ટુર સંચાલકો સહિત પ્રવાસન સાથે જોડાયેલા લોકોને રોજગારીની આશા બંધાઈ રહી છે. પરંતુ આ વર્ષે કોરોના સંક્રમણના ભયના કારણે અનેક લોકો ફરવા જવાનું ટાળી રહ્યા છે. તો ઘણા લોકોએ નજીકના સૃથળે જ ફરવા જવાનું પસંદ કરી રહ્યા છે. આ અંગે મળતી વધુ વિગતો મુજબ દિવાળીના દિવસોમાં ટુર એન્ડ ટ્રાવેલ્સ સહિત પ્રવાસન ટુરના સંચાલકોની સીઝન પુર બહારમાં ખીલતી હોય છે. પરંતુ આ વર્ષે કોરોનાના પગલે પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો થતાં ટુર ટ્રાવેલ્સના સંચાલકોએ વિવિાધ પ્રવાસન સૃથળોનો પેકેજમાં ૨૦ થી ૩૦ ટકાનો ઘટાડો કર્યો છે અને વૈશ્વિક મહામારીમાં તકેદારી રૃપે સરકારની ગાઈડલાઈનની અમલવારી થાય એ રીતે જ દિવાળી પેકેજ તૈયાર કરાય છે. જોકે ઘણા લોકો નજીકના સૃથળોએ જવા પસંદગી ઉતારી રહ્યા છે. જોકે પાછલા દિવાળીના દિવસોની તુલનાએ આ વર્ષે ૫૦ ટકા જેટલું બુકીગ ઘટી ગયું છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/322w2lU
0 Response to "દિવાળીના તહેવારોમાં પ્રવાસન ઉદ્યોગમાં તેજી આવવાની આશા"
Post a Comment