
બટેટા-ડુંગળી સહિતના શાકભાજી બાદ હવે કઠોળ અને દાળના ભાવમાં વધારો
ભુજ,શનિવાર
એક તરફ અન્ય શાકભાજી સાથે બટેટા-ડુંગળીના ભાવમાં ભારે ભાવ વાધારો થયો છે તો હવે બીજી તરફ કઠોળના ભાવમાં પણ વાધારો થતા ગરીબ અને મધ્યમ વર્ગને થાળીમાં શું પીરસવું એ ગૃહિણીઓ માટે યક્ષ પ્રશ્ન થઈ ગયો છે. મહિલા વર્ગનું બજેટ મોંઘવારીમાં ખોરવાયું છે.
છેલ્લા કેટલાક સમયાથી બટેટાટાના ભાવ પ્રતિ કિલોએ ૪૦થી ૪પ પહોંચ્યા બાદ ડુંગળીના ભાવ પણ પ્રતિ કિલોએ રૃા.૭પાથી ૮૦ને આંબવા પામ્યા છે. આ વરસે સારા વરસાદમાં ખેતીના પાક સહિત ડુંગળીના પાકને મોટા પાયે નુકશાન થવા પામ્યો છે. ઉપરાંત જુનો સ્ટોક પણ વાધારે ન હોવાથી તેની અસરરૃપ ભાવ વાધી રહ્યા છે. જિલ્લા માથક ભુજની શાક માર્કેટમાં છુટક ડુંગળીના ભાવ પ્રતિ કિલોએ રૃા.૭પાથી ૮૦ ના ભાવે વેચાય છે જ્યારે બટેટા ૪૦થી ૪પના દરે મળી રહ્યા છે. અત્રે ઉલ્લેખનિય છે ચોમાસાની ઋતુ બાદ દર વર્ષે ડુંગળીના ભાવ વાધતા હોય છે જો કે, આ વરસે વરસાદમાં પાકને નુકશાન થતાં ડુંગળીના ભાવ વાધવા પામ્યા છે. દર વર્ષે ડુંગળી-બટેટાના ભાવ વાધતા હોબાળો થયા બાદ જ સરકાર પગલાં ભરે એ પહેલાં જ ભાવ આભને આંબતા હોય છે. આ બાબતે વેપારીઓના કહેવા મુજબ હજુ દોઢાથી બે માસ સુાધી ભાવ વાધારો રહેશે. કાંદા-બટેટા સાથે અન્ય શાકભાજીને પણ નુકશાની થતા છુટક બજારમાં મોટા ભાગના શાકભાજી ૭૦થી ૮૦ રૃ.કિલો વેચાઈ રહ્યા છે જેાથી દરેક વર્ગનું બજેટ ખોરવાયું છે. કાંદા-બટેટા શાકભાજી અને હવે કઠોળ, દાળના ભાવમાં પણ વાધારો થઈ રહ્યો છે. છુટક બજારમાં મગના રૃા.૯પાથી ૧૦૦, મગદાળ ૧૧૦થી ૧૧પ જ્યારે તુવરદાળમાં બે-ત્રણ જાતો મુજબ અલગ અલગ ભાવ છે અને ચણાદાળ ૭પાથી ૮૦ રૃા. તાથા અડદદાળના રૃા.૧૦૦થી ૧રપ રહેતા ગરીબ અને મધ્યમ વર્ગની હાલત કફોડી થવા પામી છે. આ વર્ગની થાળીમાંથી શાકભાજી, કઠોળ અને દાળ પણ નામ પુરતી રહેશે તો ખાશે શું એ પણ ચિંતાનો વિષય છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3ecNp8g
0 Response to "બટેટા-ડુંગળી સહિતના શાકભાજી બાદ હવે કઠોળ અને દાળના ભાવમાં વધારો"
Post a Comment