સુરતના અડાજણમાં બેંકમાં રોકડ ગણી રહેલા વૃધ્ધના હાથમાંથી ગઠિયો 48 હજાર આંચકી ફરાર

સુરતના અડાજણમાં બેંકમાં રોકડ ગણી રહેલા વૃધ્ધના હાથમાંથી ગઠિયો 48 હજાર આંચકી ફરાર


સુરત, તા. 20 ઓક્ટોબર 2020 મંગળવાર

સુરત શહેરના વાડી ફળિયાની સ્ટોર શેરીમાં રહેતા અને ઘરમાં જ જરીકામ કરતા ભરત ચમીનલાલ જરીવાલા (ઉ.વ. 44) તેમના પિતા ચીમનલાલ જરીવાલા (ઉ.વ. 60) અને પુત્રી અપેક્ષા (ઉ.વ.10) સાથે અડાજણ મેઇન રોડ સ્થિત સંઘવી ટાવરમાં આવેલી ઇન્ડિયન બેંકમાં રોકડ ઉપાડવા ગયા હતા. 

ભરતે બેંકમાંથી રોકડા રૂા. 1.12 લાખ ઉપાડી પોતે ગણતરી કર્યા બાદ પિતા ચીમનલાલને ગણતરી કરવા આપ્યા હતા. તે દરમ્યાન બે ભેજાબાજે પિતા-પુત્રને વાતચીતમાં બેધ્યાન કર્યા હતા. 

દરમ્યાન એક ભોજાબાજે ચીમનલાલને તમે પૈસા બરાબર ગણતા નથી, નોટ ઉંધી કરીને ગણતરી કરો તો નોટ ખરાબ હોય તો ખબર પડી જશે એમ કહી બેધ્યાન કરી 2 હજારના દરની 56 નોટ પૈકી 24 નોટ રૂા. 48 હજારની મત્તા આંચકીને ગઠિયો ભાગી ગયો હતો. 

ચીમનલાલે ચોર...ચોર....ની બુમરાણ મચાવી વૃધ્ધ પિતા અને પુત્ર ભરતે પીછો કર્યો હતો. પરંતુ રોકડ આંચકીને ભાગી જનાર ભેજાબાજ ભાગી જવામાં સફળ રહ્યો હતો. ઘટના અંગે ભરત જરીવાલાએ રાંદેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી ફુટેજના આધારે તપાસ હાથ ધરી છે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/35dG04K

0 Response to "સુરતના અડાજણમાં બેંકમાં રોકડ ગણી રહેલા વૃધ્ધના હાથમાંથી ગઠિયો 48 હજાર આંચકી ફરાર"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel