
આવતીકાલથી મગફળીની ટેકાના ભાવે ખરીદી શરૂ કરાશે
અમદાવાદ, તા. 20 ઓક્ટોબર 2020 મંગળવાર
રાજ્ય સરકાર દ્વારા આવતી કાલથી મગફળીની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી રહી છે. જેમાં 1055 પ્રતિ મણના ભાવે મગફળીની ખરીદી કરવામાં આશે. ટેકાના ભાવે મગફળીની પ્રક્રિયા 90 દિવસ સુધી ચાલશે.
રાજ્યના દરેક ખેડૂત પાસેથી 2500 કિલો મગફળીની ખરીદી કરવામાં આવશે. 31 ઓક્ટોબર સુધી ખેડૂતો રજિસ્ટ્રેશન કરાવી શકશે. ઉલ્લેખનીય રાજ્ય સરકારે આગામી 21મી ઓક્ટોબરથી રાજ્યમાં મગફળીની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવાની આ અગાઉ જાહેરાત કરવામાં આવી હતી. ગુજરાતમાં આ વર્ષનું ચોમાસુ વિદાય લઇ રહ્યું છે.
રાજ્યભરમાં આ વર્ષે વરસાદ અંદાજે 140 ટકા જેટલો વરસ્યો છે. ભારે વરસાદના પગલે રાજ્યમાં ઘણા જિલ્લામાં ખેડૂતોના પાકને નુકસાન જોવા મળ્યું છે. સરકાર દ્વારા મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવાની પ્રક્રિયા આવતી કાલથી શરૂ કરાશે. ટેકાના ભાવે મગફળીની પ્રક્રિયા 90 દિવસ સુધી ચાલશે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3k9CVZA
0 Response to "આવતીકાલથી મગફળીની ટેકાના ભાવે ખરીદી શરૂ કરાશે"
Post a Comment