ગુજરાત સરકારના હજારો રોજમદાર કર્મચારીઓને કાયમી નોકરીના લાભ આપવા હાઈકોર્ટનો આદેશ, જાણો કોને ક્યા ફાયદા થશે ?

ગુજરાત સરકારના હજારો રોજમદાર કર્મચારીઓને કાયમી નોકરીના લાભ આપવા હાઈકોર્ટનો આદેશ, જાણો કોને ક્યા ફાયદા થશે ?

<p><strong>અમદાવાદઃ</strong> ગુજરાત સરકારના વિવિધ ભાગોમાં &nbsp;સરકારી નોકરીમાં રોજમદાર તરીકે કામ કરતાં હજારો કર્મચારીઓ અંગે ગુજરાત હાઈકોર્ટે બહુ મોટો ચુકાદો આપ્યો છે. આ રોજમદાર કર્મચારીઓને રાહત આપતો એક મોટો ચુકાદો આપતાં ગુજરાત હાઇકોર્ટે વર્ષોથી હંગામી ધોરણે સરકારના અલગ અલગ વિભાગોમાં કામ કરતા ઘણા કર્મચારીઓને કાયમી નોકરીનો લાભ આપવા આદેશ કર્યો છે.&nbsp;ગુજરાત હાઈકોર્ટે આ હજારો રોજમદાર કર્મચારીઓને&nbsp;કાયમી&nbsp;નોકરીના&nbsp;લાભ&nbsp;આપવા રાજ્ય સરકારને આદેશ આપ્યો છે. સાથે&nbsp;સાથે&nbsp;લીવ&nbsp;એંકેશમેન્ટનો&nbsp;લાભ&nbsp;આપવા&nbsp;પણ&nbsp;હાઈકોર્ટે&nbsp;આદેશ&nbsp;આપ્યો&nbsp;છે.&nbsp;આ&nbsp;ઉપરાંત&nbsp;આ&nbsp;કર્મચારીઓને&nbsp;એલ.ટી.સી.&nbsp;&nbsp;એચ.આર.એ. ,&nbsp;ટી.એ.&nbsp;અને&nbsp;ડી.એ.&nbsp;નો&nbsp;લાભ&nbsp;પણ&nbsp;આપવાનો&nbsp;રહેશે.</p> <p>ગુજરાત સરકારના પાણી પુરવઠા બોર્ડ અને અન્ય અલગ ડિપાર્ટમેન્ટમાં કામ કરતાં હજારો રોજમદાર કર્મચારીઓને ગુજરાત હાઈકોર્ટના આ ચુકાદાથી મોટો ફાયદો થશે. ગુજરાત સરકારના વિવિધ વિભાગોમાં કામ કરતા રોજમદાર કર્મચારીઓને કાયમી નોકરી અને અન્ય લાભોથી વંચિત રાખીને રાજ્ય સરકાર હજારો કર્મચારીઓ&nbsp;આ પહેલાં પણ ગુજરાત હાઈકોર્ટે ચુકાદો આપ્યો હતો કે, કોઈ પણ&nbsp;કામદાર પેન્શન તેમજ ગ્રેરયુઈટી સહિતનાં લાભો મેળવવા હક્કદાર ગણાય.&nbsp;ભાવનગરની&nbsp;સર ટી. હોસ્પિટલના&nbsp;નિર્મળાબેન નાનાલાલના કેસમાં હાઈકોર્ટે આ ચુકાદો આપ્યો હતો. નિર્મળાબેન 1980થી રોજમદાર તરીકે ફરજ બજાવતા હતા. જેમને સર ટી. હોસ્પિટલે કોઈપણ પ્રકારની લેખિત જાણ કર્યા સિવાય&nbsp;1994માં નોકરીમાંથી બરતરફ કરેલા. જે દરમિયાન&nbsp;2004માં કામદાર વય નિવૃત્તના કારણે નિવૃત્ત થયેલાં.&nbsp;ત્યાર&nbsp;બાદ&nbsp;નિર્મળાબેન વતી શ્રમિક સંધે,&nbsp;નિવૃત્તિના લાભો માટે ગુજરાત હાઈકોટર્માં સ્પેશિયલ સિવિલ એપ્લીકેશનથી દાદ માંગી હતી.&nbsp;&nbsp;</p> <p style="font-weight: 400;">હાઈકોર્ટે&nbsp;કામદારની તરફેણમાં ઓર્ડર કરતાં જણાવેલ કે ગુજરાત સરકારનાં&nbsp;17-10-1988ના ઠરાવ&nbsp;પ્રમાણે કોઈપણ રોજમદાર&nbsp;10વર્ષ કામ કરે ત્યારે તે કામદાર કાયમી નોકરી કરતાં કર્મી.ને બરાબર તમામ લાભો મેળવવા હક્કદાર છે.&nbsp;નિર્મળાબેનને પણ&nbsp;&nbsp;ગુજરાત હાઈકોટર્ના ઓર્ડર પ્રમાણે પેન્શન તેમજ ગ્રેચ્યુઈટી ચુકવવાનું ઠરાવેલ છે.<br />કોઈપણ રોજમદાર&nbsp;10&nbsp;વર્ષ કામ કરે ત્યારે તે કામદાર કાયમી નોકરી કરતાં કર્મચારીની જેમજ તમામ મળવાપાત્ર&nbsp;લાભોના&nbsp;હક્કદાર ગણાય તેવો ઓર્ડર ગુજરાત હાઈકોર્ટે છેક 2014માં&nbsp;આપ્યો હતો.</p>

from gujarat https://ift.tt/3zmVQaW

Related Posts

0 Response to "ગુજરાત સરકારના હજારો રોજમદાર કર્મચારીઓને કાયમી નોકરીના લાભ આપવા હાઈકોર્ટનો આદેશ, જાણો કોને ક્યા ફાયદા થશે ?"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel