ગુજરાતમાં આજે કિસાન સન્માન દિવસની કરાશે ઉજવણી, ખેડૂતોને આજથી શું મળશે મોટો લાભ?

ગુજરાતમાં આજે કિસાન સન્માન દિવસની કરાશે ઉજવણી, ખેડૂતોને આજથી શું મળશે મોટો લાભ?

<p><strong>કચ્છઃ</strong> ગુજરાતમાં આજે કિસાન સન્માન દિવસની ઉજવણી કરવામાં આવનાર છે. રાજ્યની મુખ્યમંત્રી રૂપાણી સરકારના 5 વર્ષની ઉજવણીના ભાગરૂપે આજે કિસાન સન્માન દિવસ ઉજવવામાં આવશે. &nbsp;મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આજે ભુજથીએ રાજ્યક્ષાની ઉજવણી કરવામાં આવશે.&nbsp;</p> <p>ખેડૂતોને દિવસે વીજળી આપવાની કિસાન સૂર્યોદય યોજનાનો આજથી પ્રારંભ થશે. કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત ખેડૂતોને હવે દિવસે 8 કલાક વીજળી અપાશે. ખેડૂતોને સાધન સહાય અને અન્ય ખેડૂત કલ્યાણ યોજનાઓનો લાભ પણ આજથી અપાશે. ભુજની આર ડી વરસાણી હાઈસ્કૂલ ખાતે રાજ્યક્ષાની ઉજવણીનું આયોજન કરાશે.&nbsp;<br /><br /><strong>ગુજરાતમાં 13 ઓગસ્ટે સ્ક્રેપ પોલિસીની જાહેરાત, તમારું વાહન ભંગારમાં તો નહીં જાય ને એ જાણવા વાંચો આ સમાચાર<br /><br /></strong></p> <p>ભારત સરકારની સ્ક્રેપ વ્હીકલ પોલિસીને લઈને ગુજરાતમાં&nbsp;13મી ઓગસ્ટે કેન્દ્રીય પરિવહનમંત્રી નીતિન ગડકરીનો કાર્યક્રમ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આયોજિત કરવામાં આવ્યો છે.&nbsp;આ કાર્યક્રમમાં ગુજરાતના સવા કરોડથી વધુ જૂનાં વાહનોને &nbsp;ભંગારવાડે લઈ જઈને નિકાલ કરવાની ટેકનોલોજી સંદર્ભે યોજના જાહેર કરવામાં આવશે.</p> <p><strong>&nbsp;</strong></p> <p>કેન્દ્ર સરકારની સ્ક્રેપ પોલિસી હેઠળ જે વાહનોને ભંગારમાં લઈ જવાશે એ વાહનોની આવરદા 15 વર્ષ કે વધારે હોય એ ધારાધોરણ રખાયું છે. આ સંજોગોમાં જેમનાં વાહન&nbsp;15&nbsp;વર્ષ જૂનાં હોય તેમણે પોતાનાં વાહનોને ભંગારમાં જવા દેવાની તૈયારી રાખવી પડશે. રૂપાણી સરકાર સાણંદ,&nbsp;વિરમગામ,&nbsp;માંડલ,&nbsp;બેચરાજી અને સાવલી જેવા ઓટોમોબાઇલ સેઝમાં સ્કેપ વ્હીકલ યાર્ડ બનાવશે અને આ સ્ક્રેપ યાર્ડમાં વાહનોનો નિકાલ કરાશે..<br />કેન્દ્ર સરકારે &nbsp;માર્ચ મહિનામાં સ્ક્રેપ વ્હીકલ પોલિસીની જાહેરાત કરી હતી. જૂનાં વાહનોને કારણે રાજ્યમાં સતત પ્રદૂષણમાં વધારો થઈ રહ્યો છે. આ પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા ભારત સરકાર અને રાજ્ય સરકારોને કહેવામાં આવતાં સ્ક્રેપ પોલિસી બનાવાઈ છે. &nbsp;ગત બજેટ સત્ર દરમિયાન કેન્દ્ર સરકાર દ્વારા આ પોલિસીની જાહેરાત કરીને કહેવાયું હતું કે. &nbsp;15&nbsp;વર્ષ જૂનાં વાહનોને ભંગારવાડે લઈ જઈને સ્ક્રેપ કરવાં પડશે. આ પોલિસી &nbsp;રિયુઝ,&nbsp;રિડયુઝ અને રિસાઈકલ એમ ત્રણ&nbsp;'R'&nbsp;પર આધારિત છે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી આ નીતિના આધારે ગુજરાતમાં સવા કરોડથી વધારે વાહનોને ભંગારવાડે લઈ જવાનો રોડ મેપ જાહેર કરવામાં આવશે. આ પોલિસીમાં ટેકનોલોજીના ઉપયોગથી વાહનો તોડવા તેમજ વાહનોના પાર્ટસનો પુન:ઉપયોગ કરવાને લઈને ભાર મૂકવામાં આવ્યો છે.</p> <p><strong>&nbsp;</strong></p> <p>ભારતમાં હાલમાં જૂનાં વાહનોના નિકાલ માટે કોઈ વ્યવસ્થા નથી. &nbsp;કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર આ વ્યવસ્થા ગોઠવવા માટે પ્રયત્નશીલ છે.&nbsp;&nbsp;દેશમાં&nbsp;15&nbsp;વર્ષ જૂનાં વાહનોના સ્ક્રેપ માટે નવી પોલિસી જાહેરાત કરાતાં રોજગારીની પણ નવી તકો ઉભી થશે એવો સરકાર દ્વારા દાવો કરાઈ રહ્યો છે.&nbsp;</p> <p>&nbsp;</p>

from gujarat https://ift.tt/3xAB9a1

0 Response to "ગુજરાતમાં આજે કિસાન સન્માન દિવસની કરાશે ઉજવણી, ખેડૂતોને આજથી શું મળશે મોટો લાભ?"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel