'ભાજપ કો સન્મતિ દે ભગવાન', કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીના પોલીસ સ્ટેશનમાં ધરણા-બોલાવી રામધૂન

'ભાજપ કો સન્મતિ દે ભગવાન', કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીના પોલીસ સ્ટેશનમાં ધરણા-બોલાવી રામધૂન

<p><strong>અમરેલીઃ</strong> નેતા વિપક્ષ પરેશ ધાનાણીના અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં ધરણા કર્યા હતા. પોલીસ સ્ટેશનમાં નેતા વિપક્ષ પરેશ ધાનાણી સહિતના કોંગી કાર્યકરોએ ભાજપની રામધૂન બોલાવી હતી. તો મોંઘવારી મુદે પોલીસ સ્ટેશનમાં કવિતા બોલી વિરોધ દર્શાવ્યો હતો.&nbsp;</p> <p>નેતા વિપક્ષ પરેશ ધાનાણીની અટકાયત કરી અમરેલી સીટી પોલીસ સ્ટેશન ખાતે લવાયા હતા. અમરેલીમાં પોલીસે નેતા વિપક્ષ પરેશ ધાનાણીની અટકાયત કરી હતી. પેટ્રોલ ડીઝલ અને મોંઘવારીના મુદે કોંગ્રેસ દ્વારા સાયકલ રેલી કાઢવામાં આવી હતી.</p> <p><br /><img src="https://ift.tt/3r2BbWw" /></p> <p>અમરેલી શહેરમાં માર્કેટિંગ યાર્ડથી સાયકલ રેલી કાઢી વિરોધ પ્રદર્શન કરાઈ રહ્યું હતું. જેમાં પોલીસે સાયકલ રેલી સહિત વિરોધ પ્રદર્શન કરી રહેલા નેતા વિપક્ષ ધાનાણી સહિતના કોંગી કાર્યકરોની અટકાયત કરી હતી. કોંગ્રેસી કાર્યકરોએ મોંઘવારી મુદે બેનરો અને સુત્રોચસરો સાથે વિરોધ દર્શાવ્યો હતો. પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો.દારૂ સસ્તો, મોંઘા તેલના સહિતના મુદ્દે નારા લગાવ્યા હતો.&nbsp;</p> <p><br /><img src="https://ift.tt/3hvyB8g" /></p> <p>આ ઉપરાંત આજે બાબરા શહેર અને તાલુકા કોંગ્રેસના કાર્યકરો એ સાઇકલ ચલાવી મોંઘવારીનો વિરોધ કર્યો હતો. સતત ડીઝલ પેટ્રોલનાં અને અન્ય જીવનજરૂરિયાત ચીજ વસ્તુઓનાં ભાવ આસમાને પહોંચતા વિરોધ કરવામાં આવ્યો. ધારાસભ્ય વિરજી ઠુમર &nbsp;અને મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો એ શહેરની બજારોમાં સાયકલ ચલાવી &nbsp;સૂત્રોચ્ચારો કરી વિરોધ કરવામાં આવ્યો હતો.&nbsp;<br /><br /></p> <p><strong>ગુજરાતમાં કોરોનાની બીજી લહેર પછી વધુ એક જિલ્લો થયો કોરોનામુક્ત, જાણો વિગત</strong></p> <p>અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ધીમે ધીમે શાંત પડી રહી છે. છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં દૈનિક કેસો 100ની અંદર આવી ગયા છે. ત્યારે રાજ્યના લોકો માટે વધુ એકવાર મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. હવે ડાંગ પછી પાટણ જિલ્લો પણ કોરોનામુક્ત બન્યો છે. આમ, હવે કોરોનાની બીજી લહેર પછી ડાંગ અને પાટણ એમ બે જિલ્લા કોરોનામુક્ત થયા છે.&nbsp;</p> <p>આ સિવાય 13 જિલ્લા એવા છે કે જે પણ ગમે ત્યારે કોરોનામુક્ત બની શકે છે. કારણ કે, આ જિલ્લાઓમાં પણ એક્ટિવ કેસો 10થી અંદર છે. આ જિલ્લાઓની વાત કરીએ તો તાપીમાં 4, સુરેન્દ્રનગરમાં 3, સાબરકાંઠામાં 6, પંચમહાલમાં 4, નર્મદામાં 2, મોરબીમાં 3, ખેડામાં 7, કચ્છમાં 6, જૂનાગઢમાં 5, દાહોદમાં 3, છોટાઉદેપુરમાં 3, બોટાદમાં 2 અને આણંદમાં 7 એક્ટિવ કેસો છે.&nbsp;</p> <p><strong>Bhavnagar : એક દીકરાની માતા એવી યુવતી સાથે યુવકને બંધાયા શારીરિક સંબંધ, એક દિવસ ઘરે બોલાવી ને પછી....</strong></p> <p>ભાવનગરઃ ગુરુવારે શહેરમાં થયેલી બે અલગ અલગ હત્યાના બનાવમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. બંને મૃતક માતા-પુત્ર હોવાનું અને બંનેની હત્યા એક જ શખ્સે કરી હોવાનું સામે આવ્યું છે. યુવતી સાથે સંબંધ ધરાવનાર આરોપીએ બુધવારે રાત્રે યુવતીને શરીરસુખ માણવા માટે બોલાવી હતી. અહીં ઝઘડો થતા આરોપીએ માતા અને તેના સગીર પુત્રની હત્યા કરી નાંખી હતી. પોલીસે આરોપીને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે.</p> <p>આરોપી હેમલ શાહે જ અંકિતા જોશીને બુધવારે રાત્રિના શરીરસંબંધ બાંધવા માટે બોલાવી હતી. અંકિતા જોશી તેના સગીર પુત્રને લઈ હેમલ શાહના ફ્લેટ પર આવી હતી. ફ્લેટ માલિક હેમલ શાહની પુછપરછ કરતા તેમણે જ બંને હત્યાને અંજામ આપ્યાની કબૂલાત આપી હતી.</p> <p>હેમલે કબૂલાત કરતા જણાવ્યું હતું કે, એક વર્ષ પૂર્વે મોલમાં અંકિતા સાથે પરિચય થયો હતો અને મોબાઇલની આપ-લે બાદ મિત્રતા કેળવાઇ હતી. આ પછી બંને વચ્ચે અનૈતિક સંબંધો પણ સ્થાપિત થયા હતા. ગત તા.૭ જૂલાઇ રાત્રે ૯.૩૦ વાગ્યે અંકિતા તેના પુત્ર શિવમ (ઉ.વ.૧૨)ને લઇ ફ્લેટે આવી હતા. તેમજ શિવમ અન્ય રૂમમાં સુઇ ગયો હતો.&nbsp;</p> <p>દરમિયાન અંકિતા કોઈની સાથે ફોન પર વાત કરતી હતી, જે અંગે હેમલે પૂછતાં રકઝક થઇ હતી. આ સમયે અંકિતાએ સ્કુટર લેવા માટે ૧.૨૦ લાખ રૂપિયાની માગણી કરી હતી. જોકે, હેમલે રૂપિયા આપવાનો ઇનકાર કરી દીધો હતો. આથી અંકિતા રિસાઇ ગઈ હતી. આ પછી મામલો બિચકતા અને આબરુ જવાની બીકે હેમલે છરીના ઘા મારી અંકિતાની હત્યા કરી નાંખી હતી. તેમજ આ પછી માસુમ શિવમને પણ રહેંસી નાંખ્યો હતો.&nbsp;</p> <p>આ પછી વહેલી સવારે ૪ કલાકે શિવમના મૃતદેહને ગોદડામાં લપેટી પોતાની આઇ-૨૦ દ્વારા સિદસર-વરતેજ રોડ પર લાશ ફેંકી પરત પોતાના ઘરે આવી ગયો હતો. જ્યારે અંકિતાની લાશ અન્ય જગ્યાએ ફેંકે તે પહેલા પોલીસના હાથે ઝડપાઇ ગયો હતો.&nbsp;</p> <p>મૃતક અંકિતા જોશી તેના પતિ સાથે છુટાછેડા પછી અલગ રહેતી હતી. આરોપી હેમલ શાહના પણ છૂટાછેડા થયેલા છે અને એકલો રહેતો હતો. પોલીસે હેમલ શાહની અટકાયત કરી કોવિડ રિપોર્ટ માટે કાર્યવાહી હાથ ધરી છે. ગઈ કાલે ભાવનગરમાં સગીર પછી 30 વર્ષીય યુવતીની હત્યા કરાયેલી લાશ મળી આવતાં સમગ્ર શહેરમાં ખળભળાટ મચી ગયો હતો. &nbsp;</p> <p>ભાવનગરમાં ગુરુવારે સવારે વરતેજ સીદસર રોડ પર &nbsp;એક નાળા પાસે સગીરની હત્યા થયેલી લાશ મળી આવી હતી જયારે સાંજે તખ્તેશ્વર પાસેના ફલેટમાંથી યુવતીની હત્યા કરેલી લાશ મળી આવી હતી. ભાવનગર પોલીસે સઘન તપાસ હાથ ધરી બંને હત્યા માતા-પુત્રની થઇ હોવાનું અને એક જ વ્યકિતએ કરી હોવાનું તેમજ બંનેની લાશની હેરાફેરી માટે એક જ કારનો ઉપયોગ કરાયો હોવાની થિયરી પર વધુ તપાસ હાથ ધરી હતી.&nbsp;</p> <p>સાંજે તખ્તેશ્વર પાસે જનકલ્યાણ હાઉસીંગ સોસાયટીના ફલેટના બીજા માળેથી અંકીતા પ્રકાશભાઇ જોષી (ઉ.વ.30) ની તિક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરેલી હાલતમાં ગોદડામાં વીંટાળેલી લાશ મળી આવી હતી. પોલીસે ઘટના સ્થળે દોડી જઇ બંને હત્યા સાથે કોઇ સબંધ છે કે કેમ તે દિશામાં તપાસ આગળ ધપાવી હતી.</p> <p>મૂળ સિહોરની અને ભાવનગરમાં રહેતી અંકીતાએ છૂટાછેડા લીધેલા છે તેમજ છેલ્લા ઘણા સમયથી પોતાના પુત્રને લઇ આ ફલેટમાં રહેતી હતી. બંને વચ્ચે કોઇ બાબતે ઝઘડો થતા આ યુવકે બંનેની હત્યા કરી નાખી હતી અને બાળકની લાશને કારમાં નાખી સીદસર રોડ પરના આ અવાવરૂ જગ્યાએ છોડી દીધી હતી. જ્યારે તે જ કાર દિવસ દરમિયાન આ ફલેટ પાસે પણ જોવા મળી હતી, જેના પરથી પોલીસને આ બન્ને હત્યાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી હતી.&nbsp;</p>

from gujarat https://ift.tt/3k58oiq

Related Posts

0 Response to "'ભાજપ કો સન્મતિ દે ભગવાન', કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીના પોલીસ સ્ટેશનમાં ધરણા-બોલાવી રામધૂન"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel