
ટેકનિકલ કોલેજોને ઈન્ટરનલ ક્વૉલિટી એસ્યોરન્સ સેલ રચવા GTUનો આદેશ
અમદાવાદ, તા.1 માર્ચ, 2021, સોમવાર
જીટીયુ દ્વારા સંલગ્ન તમામ કોલેજોને ઈન્ટરનલ ક્વોલિટી એસ્યોરન્સ સેલની રચના કરવા આદેશ કરવામા આવ્યો છે. એનબીએ અથવા નેક એક્રિડિટેશન માટે આ સેલ દરેક કોલેજોમાં હોવો જરૂરી છે ત્યારે 2022 સુધીમાં નેક અથવા એનબીએ એક્રેડિટેશન મેળવી લેવાના ટાર્ગેટ અંતર્ગત જીટીયુ દ્વારા તમામ કોલેજોને સેલની રચના કરવા સર્ક્યુલર કરવામા આવ્યો છે.
ઓલ ઈન્ડિયા કઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન અને યુજીસી દ્વારા તમામ ટેકનિકલ કોલેજો-વોકેશનલ કોલેજોને એનબીએ અથવા નેકનું એક્રિડિટેશન 2022ના અંત સુધીમાં મેળવી લેવા આદેશ કરવામા આવ્યો છે.જે અંતર્ગત તમામ કોલેજોને નેક અથવા એનબીએની માન્યતા મેળવવી ફરજીયાત છે.
નેક ( નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રેડિટેશન કાઉન્સિલ) અથવા એનબીએ( નેશનલ બોર્ડ ઓફ એક્રેડિટેશન)ની માન્યતા માટેના જુદા જુદા માપદંડોમાં દરેક યુનિ-કોલેજોમાં એક આઈક્યુએસી ( ઈન્ટરનલ ક્વોલિટી એસ્યોરન્સ સેલ) હોવો જરૂરી છે. જેથી જીટીયુ દ્વારા સંલગ્ન તમામ ટેકનિકલ કોલેજોને સર્ક્યુલર કરીને 15 માર્ચ સુધીમાં આ ઈન્ટરનલ ક્વોલિટી એસ્યોરન્સ સેલની રચના કરવા આદેશ કરવામા આવ્યો છે.
આ સેલની રચનામાં પ્રિન્સિપલ કે ડાયરેકટર સેલના ચેરમેન રહેશે અને મેમ્બર્સમાં 3થી8 જેટલા અધ્યાપકો રહેશે.ઉપરાંત એક એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર સેલના મેમ્બર રહેશે અને મેનેજમેન્ટમાંથી એક સભ્ય પણ સેલમાં રહેશે. ઉપરાંત ઈન્ડસ્ટ્રી એક્સપર્ટ કે ક્વોલિટી મેનેજમેન્ટ એક્સપર્ટ તરીકે એક સભ્ય રાખવાનો રહેશે. સિનયર અધ્યાપકને કોઓર્ડિનેટર તરીકે સેલમાં રાખવાના રહેશે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3kHTrkD
0 Response to "ટેકનિકલ કોલેજોને ઈન્ટરનલ ક્વૉલિટી એસ્યોરન્સ સેલ રચવા GTUનો આદેશ"
Post a Comment