
કચ્છમાં કોરોનાના સંક્રમણને રોકવા કરાયેલા નિર્દેશો ભુલાઈ જવાથી ભય
ભુજ,રવિવાર
કચ્છમાં કોરોનાની સિૃથતીને રોકવા માટે સરકાર દ્વારા આપવામાં આવેલી છુટછાટનો સાવચેતીપૂર્વક ઉપયોગ કરવા તંત્ર દ્વારા તાકિદ કરાઈ હતી પરંતુ છેલ્લા કેટલાક મહિનાઓાથી આ છુટછાટના નિયમોને ઘોળીને પી જવાતા કચ્છમાં પણ કેટલાક દિવસોથી કોરોનાના કેસો વાધી રહ્યા છે. કચ્છમાં કોરોનાના સંક્રમણને રોકવા માટે રાજયમંત્રીની અધ્યક્ષતામાં બેઠક પણ યોજાઈ હતી જેમાં પદાિધકારીઓ-અિધકારીઓ સહિતનાઓ હાજર રહ્યા હતા. બેઠકમાં જરૃરી સુચનો કરાયા હતા જેની અમલવારી કરાતી ન હોવાથી કોરોનાના કેસો વાધવા માંડયા છે.
માસ્ક અને સામાજિક અંતર સાથે કોરોના ગાઇડ લાઇનનું પાલન કરી જરૃર પડે તો જ સાર્વજનિક સૃથાનોનો પ્રજાએ ઉપયોગ કરવો જોઇએ. બાગ-બગીચા, રેસ્ટોરેન્ટ જરૃરી પ્રાથમિક સુવિાધાઓમાં અપાયેલી છૂટછાટમાં નાગરિકોએ સ્વસલામતી માટે સરકારે નિર્દેશિત કરેલા પગલાંઓનો ચુસ્ત અમલ કરવો. બિનજરૃરી બહાર નીકળવું, કારણ વગર ટોળે વળવું કે નિરાર્થક જાહેરમાં ફરવું વગેરે બાબતોનો સંપૂર્ણ નકાર કરવો જોઇએ. લોકોમાં કોવીડ-૧૯ ની ગંભીરતા અને જોખમ બાબતે સ્વજાગૃતિ અને સલામતી અગત્યની છે એમ સૌએ બેઠકમાં જણાવ્યુ હતુ પરંતુ આ સુચનોનો અમલ કરાતો નાથી. પરિણામે, કોરોનાના કેસો હવે કચ્છમાં પણ વાધવા માંડયા છે. કોરોનાના કેસો ઘટાડવા માટે લોકોએ પણ જાગૃતિ દાખવવી પડશે નહિં તો ગત વર્ષની માફક આ વર્ષે પણ કેસો મર્યાદા વટાવી જશે.
કોરોનાના નવા સાત કેસ સાથે એક્ટીવ પોઝિટિવ ૧૧૦ દર્દી
છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના દર્દીઓમાં વાધારો થતા હવે સ્વસૃથ દર્દીઓની સરખામણીએ કેસો વાધતા જાય છે. આજે કોરોનાના વધુ સાત દર્દીઓ નોંધાતા કુલ પોઝીટીવ કેસોનો આંક ૪૭૪૩ પહોંચ્યો હતો. આજે નોંધાયેલા પોઝીટીવ કેસોમાં અબડાસા ગ્રામ્યમાં ૧, ગાંધીધામ શહેરમાં ૨, મુંદરા તાલુકામાં ૨ તેમજ ભુજ શહેરમાં ૨ દર્દીઓ નોંધાયા હતા. આમ એકટીવ પોઝીટીવ કેસોની સંખ્યા ૧૧૦ થઈ છે જયારે આજે સાજા થયેલા ૭ દર્દીઓને હોસ્પીટલમાંથી રજા અપાઈ હતી. ભુતકાળની માફક ભુજ, ગાંધીધામ શહેરમાં વધુ એક વખત કોરોનાના દર્દીઓ વાધવા માંડયા છે. તો બીજીતરફ કચ્છમાં કોરોનાથી મોતને ભેટેલા દર્દીઓનો આંક રેકર્ડ પર ૮૧ બોલે છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3eCSrgP
0 Response to "કચ્છમાં કોરોનાના સંક્રમણને રોકવા કરાયેલા નિર્દેશો ભુલાઈ જવાથી ભય"
Post a Comment