
શંકાશીલ પતિએ છરીના ઘા ઝીંકી પત્નીને સળગતા ચૂલામાં નાખી દીધી
ગાંધીધામ,તા.૧૭
ભચાઉ તાલુકાના ભરુડીયા ગામે એક શંકાશીલ પતિએ આડા સબંધનો વહેમ રાખી ત્રણ સંતાનોની માતા એવી પત્નીને આડેાધડ છરીના ઘા મારી હત્યા નિપજાવી હતી અને એ પછી પણ જાણે સંતોષ થયો ન હોય એમ તેને સળગતા ચુલામાં નાખી દીધી હતી. જો કે પોલીસે ઝડપી કાર્યવાહી કરી મોડી રાતે જ હત્યા નિપજાવનાર પતિને સીમ વિસ્તારમાંથી ઝડપી લીધો હતો.
ભરુડીયા ખાતે રવેચીનગરમાં રહેતા હેતુભા જુજારસંગ સોઢા છેલ્લા કેટલાક વર્ષોથી સતતપણે પત્ની ગજરાબા પર ચારીત્ર્યની શંકા રાખી ત્રાસ આપતો હતો પરંતુ સંતાનોના કારણે ગજરાબા આ ત્રાસ સહન કરતા હતા અને વખતો વખત પિયરમાં જાણ પણ કરતા હતા. દરમ્યાન ગત રાત્રે તેણે ફરી તકરાર ઉઠાવી ગજરાબાને હાથ, છાતી અને પીઠમાં આડેાધડ છરીના ઘા મારી દેતાં હતભાગી ઢળી પડયા હતા. આ ઓછું હોય તેમ ઉગ્ર બનેલા પતિએ પત્નીના મૃતદેહને ઉઠાવી સળગતા ચુલામાં ફગાવી દીધો હતો જેાથી હતભાગીના હાથ અને ચહેરો બળી જવા પામ્યા હતા. બનાવ બાદ હેતુભા નાસી ગયો હતો. પડોશમાં ગયેલી તેની પુત્રીએ ઘરે આવીને આ હ્ય્દયદ્રાવક દ્રશ્ય જોતાં રાડારાડી કરતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા અને હતભાગીને ઉઠાવીને ભચાઉ સરકારી હોસ્પિટલ મધ્યે લઈ ગયા હતા પણ ત્યાં તબીબોએ તેને મૃત ઘોષીત કર્યા હતા જેાથી સંતાનોમાં આક્રંદ છવાયો હતો. પરોઢીયે હતભાગીના ભાઈ માધુભા ચાંદાજી જાડેજાએ પોલીસમાં પોતાના બનેવી વિરુધૃધ હત્યાની ફરિયાદ લખાવી હતી. પોલીસે તરત જ તપાસ હાથ ધરી હોવાથી ફરિયાદાથી પહેલાં જ હતભાગીના પતિ હેતુભાને ભરુડીયા સીમ વિસ્તારમાંથી ઝડપી લેવામાં આવ્યો હતો. સંતાનોને નોંધારા મુકીને વિદાય લેનારા ગજરાબાના કારણે ગામમાં શોકની લાગણી ફેલાઈ હતી તો હત્યા નિપજાવનાર હેતુભા વિરુધૃધ ફિટકારની લાગણી વરસી હતી.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3bSX1Wh
0 Response to "શંકાશીલ પતિએ છરીના ઘા ઝીંકી પત્નીને સળગતા ચૂલામાં નાખી દીધી"
Post a Comment