
સાયલાના ચોરવીરા ગામમાં સર્વોદય યોજનાનું કેન્દ્ર ખુલ્લું મૂકવામાં આવ્યું
સાયલા : સાયલા તાલુકાના ચોરવીરા (થાન) ગામે શ્રી ગ્રામ વિદ્યાલય લોકશાળા, ધજાળા ટ્રસ્ટ સંચાલિત સર્વોદય યોજનાનું કેન્દ્ર રામ ટેકરીના મહંત શ્રી સંગરામબાપુ, કરશનભાઈ રાઠોડ, રમેશભાઈ મકવાણા સહિત ટ્રસ્ટીઓ દ્વારા ખુલ્લુ મુકવામાં આવ્યું હતું.
સાયલાના થાન તાલુકાના આગેવાનો અને ખડુતો ઉપસ્થિત રહ્યાં હતાં અને સાથે સાધન વિતરણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં વૃધ્ધ, અપંગ અંદાજે ૧૦૦ પરિવારને અનાજ વિતરણ તેમજ ૨૫ શાળાના બાળકોને માસ્ક અને ઉકાળાનું વિતરણ તેમજ ડ્રીપ વાઈન્ડર, તાડપત્રી, સ્વરોજગારીના સાધનો, સીલાઈ મશીન, કટર મશીન, ડ્રીલ મશીન વગેરે જરૂરીયાતમંદ લોકોને આપવામાં આવ્યાં હતાં. આ યોજનાનો લાભ લેવા રમેશભાઈ મકવાણાએ અપીલ કરી હતી અને કાર્યક્રમ સફળ બનાવવા પ્રફુલભાઈ સાવલીયા અને ઓઘાભાઈ સહિતનાઓએ ભારે જહેમત ઉઠાવી હતી.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3cloKhg
0 Response to "સાયલાના ચોરવીરા ગામમાં સર્વોદય યોજનાનું કેન્દ્ર ખુલ્લું મૂકવામાં આવ્યું"
Post a Comment