
વાંકાનેરના પંચાસર ગામે તળાવમાં ડૂબી ગયેલા યુવાનનું મોત થયું
મોરબી,જામનગર : વાંકાનેરના પંચાસર ગામે તળાવમાં ન્હાવા ગયેલા માસૂમ બાળકનું મોત થયું હતું તો બાળકના કાકા પણ પાણીમાં ડૂબી જતા મોત થયાની માહિતી પ્રાપ્ત થઇ છે. જ્યારે જામનગરના બેડ ગામે ચક્કર આવતા પુલ ઉપરથી પટકાયેલા યુવાનનું સારવારમાં મોત થયું હતું.
વાંકાનેરના પંચાસર ગામના રહેવાસી જીતેન્દ્રભાઈ રામજીભાઈ ધામેચા (ઉ.વ.૨૫) નામના યુવાન તેના છ વર્ષના ભત્રીજા સાથે તળાવમાં ન્હાવા ગયેલ હોય ત્યારે પાણીમાં ડૂબી જતા માસૂમ બાળકનું મોત થયું હતું તોકાકા જીતેન્દ્રભાઈ ધામેચા પણ પાણીમાં ડૂબી જતા સારવાર માટે ખસેડવામાં આવેલ જ્યાં સારવાર દરમિયાન મોત થયું છે વાંકાનેર સીટી પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ ઈશ્વરભાઈ કલોતરા ચલાવી રહ્યા છે. જામનગર તાલુકાના જીવાપર ગામ માં રહેતા ગોવિંદભાઈ વેરશી ભાઈ સાડમીયા (ઉં.વ.૪૭) ને ગત ૧૯મી તારીખે બેડ ગામ ની નદીના પુલ પાસે એકાએક ચક્કર આવ્યા હતા, અને નીચે પટકાઈ પડયો હતો. જેથી તેને માથાના ભાગે ઈજા થઈ હતી અને સારવાર માટે સૌપ્રથમ જામનગરની જી.જી.હોસ્પિટલમાં, અને ત્યાર પછી વધુ સારવાર આૃર્થે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ગઈ કાલે સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજયું છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3wr0Jii
0 Response to "વાંકાનેરના પંચાસર ગામે તળાવમાં ડૂબી ગયેલા યુવાનનું મોત થયું"
Post a Comment