
મોરબીમાં જમીન પચાવી પાડનારા 2 સામે ફરિયાદ
મોરબી : મોરબીના નવલખી રોડ પર લાયન્સનગર વિસ્તારમાં બે ઇસમોએ જમીન પર દબાણ કરી જમીન પચાવી પાડવા બાંધકામ કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
મોરબીના સરદારબાગ નજીક સોમનાથ સોસાયટીમાં રહેતા જશવંતીબેન રજનીકાન્તભાઈ કોટેચાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. કે તેની માલિકીના નવલખી રોડ પર લાયન્સનગર સોસાયટીમાં આવેલ પ્લોટમાં આરોપી નવઘણ નાગજી ભરવાડ (રહે રોહીદાસપરા મેઈન રોડ)એ જમીન પચાવી બાંધકામ કરી ઓરડી બનાવી રહેણાંક માટે ઉપયોગ કરી તેમજ આરોપી કરણા કુકાભાઈ ભરવાડ (રહે રોહીદાસપરા)એ પ્લોટમાં મકાનની દીવાલ બનાવી ખુલ્લા પ્લોટમાં માલઢોર બાંધવાનો વાડો બનાવી ગેરકાયદેસર કબજો કરી જમીન પચાવી પાડી હોવાનું જણાવ્યું હતું. બી ડીવીઝન પોલીસે લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
0 Response to "મોરબીમાં જમીન પચાવી પાડનારા 2 સામે ફરિયાદ"
Post a Comment