
કચ્છમાં પણ હોળીની ધાર્મિક ઉજવણી કરી શકાશે પણ રંગો નહીં ઉડાડી શકાય
ભુજ, બુધવાર
ચૂંટણી બાદ કોરોનાના કેસો વાધી રહ્યા છે. મહાનગરોમાં નાઈટ કફર્યુ જાહેર કરાયો છે ત્યારે વાધતા જતા કોરોનાના કેસો સામે તકેદારી રાખવાના ભાગરૃપે કચ્છમાં પણ ધુળેટીના રંગો ઉડાળી શકાશે નહિં જયારે હોળીની માત્ર ધાર્મિક ઉજવણી કરી શકાશે.
તા.૨૮મી માર્ચ-૨૦૨૧ના હોળીનો તહેવાર તાથા તા.૨૯મી માર્ચ-૨૦૨૧ના ધુળેટીના તહેવારની ઉજવણી કરવામાં આવનાર છે. સામાન્ય સંજોગોમાં હોળી-ધુળેટીના તહેવારોની ઉજવણી માટે લોકો સોસાયટી, શેરી, નાકા, જાહેર સૃથળો, ખુલ્લા મેદાનો તાથા રસ્તાઓ પર મોટી સંખ્યામાં એકત્રિત થતા હોય છે. મોટી સંખ્યામાં લોકો એકત્રિત થવાથી કોરોના સંક્રમણ વાધવાની શકયતા છે. જેને ધ્યાને રાખીને હોળીના તહેવાર સંદર્ભે પરંપરાગત રીતે મર્યાદિત સંખ્યા સાથે હોળી પ્રગટાવી શકાશે તેમજ હોળીની પ્રદક્ષિણાની સાથે-સાથે ધામકવિિધ પણ કરી શકાશે.
પરંતુ હોળી-દહનના કાર્યક્રમ દરમ્યાન ભીડ એકત્રિત ન થાય તાથા કોરોના સબંધમાં પ્રવર્તમાન ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન થાય તે અંગે આયોજકોએ તકેદારી રાખવાની રહેશે. વાધુમાં ધુળેટીના દિવસે જાહેરમાં ઉજવણી અને સામુહિક કાર્યક્રમને મંજુરી આપી શકાશે નહીં તેવુ જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામુ બહાર પડાયુ છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2OVu97j
0 Response to "કચ્છમાં પણ હોળીની ધાર્મિક ઉજવણી કરી શકાશે પણ રંગો નહીં ઉડાડી શકાય"
Post a Comment