પાટડી તાલુકામાં 40 જેટલા સેન્ટરો પર વેક્સિનેશનની કામગીરી આરંભાઈ

પાટડી તાલુકામાં 40 જેટલા સેન્ટરો પર વેક્સિનેશનની કામગીરી આરંભાઈ


- કોરોના રસીકરણ ઝુંબેશ અંતર્ગત

- 800થી વધુ લોકોને કોરોના રસી અપાઈ

સુરેન્દ્રનગર, પાટડી, તા.૨૨

સમગ્ર દેશમાં કોરોના વિરૂધ્ધ રસીકરણ અભિયાન હાથધરવામાં આવી રહ્યું છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા વહિવટીતંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા રસીકરણની સધન કામગીરી કરવામાં આવી રહી છે જે અંતર્ગત પાટડી તાલુકામાં રસીકરણ ઝુંબેશના ભાગરૂપે ૮૦૦થી વધુ લોકોને એક દિવસમાં રસીકરણ અંતર્ગત આવરી લેવામાં આવ્યાં છે.

જેમાં રવિવાર અથવા રજાનો દિવસ હોવા છતાં પણ આ દિવસે પાટડી તાલુકાના ૪૦ સેન્ટરો પર રસીકરણ ઝુંબેશ હાથધરવામાં આવ્યું હતું જેમાં સવારના ૯-૦૦ વાગ્યાથી સાંજના ૫-૦૦ વાગ્યા સુધીમાં અંદાજે ૨૭૯, કોમોરબીડ અને ૬૦ વર્ષ કે તેથી વધુ વય ધરાવતાં અંદાજે ૫૪૨ જેટલાં લોકો મળી કુલ ૮૨૧ લોકોને રસી આપવામાં આવી હતી. આ ઉપરાંત પાટડી સ્થિત વડવાળા મંદિર ખાતે પણ રાત્રે ૮-૦૦ થી ૧૦-૦૦ કલાક દરમ્યાન રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અંદાજે ૪૦થી વધુ લોકોને કોરોના વેક્સીન આપવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે પ્રાંત અધિકારી ઋતુરાજસિંહ જાદવના અધ્યક્ષસ્થાને આ મામલે પાટડી વણકરવાસ ખાતે એક બેઠક પણ યોજાઈ હતી જેમાં કોરોના વિરૂધ્ધ દેશભરમાં ચાલી રહેલા રસીકરણ અભિયાનમાં લોકોને જોડાવા અને વધુમાં વધુ લોકોને લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો હતો આ તકે મેડીકલ ઓફીસર ડેપ્યુટી કલેકટર, નાયબ મામલતદાર આર.એસ.ખાંભલા, અગ્રણી પી.કે.પરમાર સહિતનાઓ ઉપસ્થિત રહ્યાં હતાં.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3tKr9Jx

0 Response to "પાટડી તાલુકામાં 40 જેટલા સેન્ટરો પર વેક્સિનેશનની કામગીરી આરંભાઈ"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel