
સુરેન્દ્રનગરની સ્વનિર્ભર સંસ્થાઓમાં તાલીમી ફીનું ધોરણ નક્કી કરાયું
સુરેન્દ્રનગર, તા. 7 ફેબ્રુઆરી, 2021, રવિવાર
ભારત સરકારના ડીજેટી નવી દિલ્હી દ્વારા રોજગાર અને તાલીમ ખાતાના નિયંત્રણ હેઠળની રાજ્યની સ્વનિર્ભર સંસ્થાઓનું તાલીમી ફી નું મહત્તમ ધોરણ નિયત થઇ છે. તેમ સુરેન્દ્રનગર ઔધોગિત તાલીસ સંસ્થાની યાદીમાં જણાવ્યું છે.
જે મુજબ ગ્રામ્ય વિસ્તારમાં એન્જીનીયરીંગ વ્યવસાયમાં રૂા.૧૬,૦૦૦ અને નોન-એન્જીનીયરીંગ વ્યવસાયમાં રૂા.૧૨,૮૦૦ તેમજ શહેરી વિસ્તારમાં એન્જીનીયરીંગ વ્યવસાયમાં રૂા.૧૭,૬૫૦ અને નોન-એન્જીનીયરીંગ વ્યવસાયમાં રૂા.૧૪,૧૦૦ નિયત થયેલ છે. આ રકમથી વધુ રકમ તાલીમાર્થી પાસેથી વસુલ કરી શકાશે નહિં. જો કોઈ સ્વનિર્ભર સંસ્થા દ્વારા આનો ઉલ્લંધન થતો હોય અને વધુ ફી ઉધરવામાં આવતી હોવા બાબતે સ્વનિર્ભર સંસ્થાના તાલીમાર્થી કે વાલી કે હિતેચ્છુને જણાતું હોય તો નોડલ આચાર્ય, પ્રાદેશિક કચેરી કે વડી કચેરી ખાતે પત્ર વ્યવહાર અથવા તો રૂબરૂ મુલાકાત કરી ફરિયાદ નોંધાવવા વધુમાં જણાવાયું છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/39VFxrd
0 Response to "સુરેન્દ્રનગરની સ્વનિર્ભર સંસ્થાઓમાં તાલીમી ફીનું ધોરણ નક્કી કરાયું"
Post a Comment