
વઢવાણની સગીરાને ભગાડી જનાર શખ્સ સામે ફરિયાદ
સુરેન્દ્રનગર, તા. 7 ફેબ્રુઆરી, 2021, રવિવાર
સુરેન્દ્રનગર શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં સગીરાને લલચાવી-ફોસલાવી ભગાડી જવાના બનાવો વધી રહ્યાં છે ત્યારે વઢવાણ શહેરી વિસ્તારમાં રહેતી સગીરાને ભગાડી ગયાની પોલીસ મથકે ફરીયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથધરી હતી.
આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ વઢવાણ વિસ્તારમાં રહેતી સગીરાને સુરેન્દ્રનગરના ફિરદોષ સોસાયટી પાછળ રહેતા નવીનભાઈ ચોવટીયા નામનો શખ્સ લલચાવી-ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી ભગાડી ગયો હતો જે અંગે પરિવારજનોએ શોધખોળ હાથધરી હતી પરંતુ સગીરાનો કોઈ જ પત્તો ન લાગતા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં વધુ તપાસ સીપીઆઈ ડી.એમ.રાવલ ચલાવી રહ્યાં છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3tDH7Gj
0 Response to "વઢવાણની સગીરાને ભગાડી જનાર શખ્સ સામે ફરિયાદ"
Post a Comment