
સુરેન્દ્રનગરમાં જિલ્લા એનએસયુઆઈ દ્વારા યુવા શક્તિ સંમેલન યોજાયું
સુરેન્દ્રનગર, તા. 7 ફેબ્રુઆરી, 2021, રવિવાર
સુરેન્દ્રનગર જીલ્લા એનએસયુઆઈ દ્વારા આગામી સ્થાનીક સ્વરાજ્યની ચુંટણીને ધ્યાને લઈ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને આ ચુંટણીમાં યુવાનો સક્રિય બની ભાગ ભજવે તે માટે યુવા શક્તિ સંમેલનનું શહેરના રંભાબેન ટાઉનહોલ ખાતે યોજાયું હતું જેમાં મોટીસંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.
સુરેન્દ્રનગર જીલ્લામાં આગામી જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચુંટણીઓ નજીકમાં છે ત્યારે રાજકીય પક્ષો દ્વારા આ ચુંટણીમાં જીત મેળવવા તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે ત્યારે શહેરના રંભાબેન ટાઉનહોલ ખાતે જીલ્લા એનએસયુઆઈ દ્વારા યુવાનો યુવા શક્તિ સંમેલન યોજાયું હતું જેમાં મોટીસંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યાં હતાં અને આ તકે જીલ્લા એનએસયુઆઈના ધૃ્રવરાજસિંહ ચુડાસમા સહિત રવિભાઈ મકવાણા, શહેર કોંગ્રેસ પ્રમુખ ગિરિરાજસિંહ ઝાલા સહિતના કોંગ્રેસના હોદ્દેદારો, આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં. આગામી ચુંટણીમાં કોંગ્રેસનો વિજય થાય તે માટે યુવાનોને આહવાન કર્યું હતું.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/39VDDXC
0 Response to "સુરેન્દ્રનગરમાં જિલ્લા એનએસયુઆઈ દ્વારા યુવા શક્તિ સંમેલન યોજાયું"
Post a Comment